SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્વાખ્યાન. ૧૧૮ ઉત્પત્તિ પહેલાં કારણમાં કાર્ય હેવાનું માનતા નથી, પરંતુ કારણ–સામગ્રી મળવાથી અસત્ કાર્યની ઉત્પત્તિ હેવાનું માને છે. જેમ કે માટીમાં ઘડે ન હોવા છતાં માટી, દંડ, ચક વિગેરે કારણ-સામગ્રી મળવાથી ( નવીન) ઉત્પન્ન થાય છે. માટીમાં ઘડે વિદ્યમાન છે.” એવું માનવામાં આવે તે ( અકિંચિત્કરી) કારણસામગ્રી વ્યર્થ થઈ જાય છે. તેથી પ્રથમ કાર્ય ન હોવા છતાં પણ પાછળથી કારણસામગ્રી મળવાથી ઉત્પન્ન થાય છે. ઉપર જણાવેલ અસત્કાર્યવાદથી વિરુદ્ધ પ્રકારને સાંખ્ય લોકોને સત્કાર્યવાદ છે. તેઓ (સત્કાર્યવાદિસાંખેલકે) કહે છે કે-જે માટીમાં ઘડે વિદ્યમાન જ નથી, તે ઘડાની ઈચ્છા ધરાવતે મનુષ્ય માટીમાં શા સારૂ પ્રયત્ન કરે છે? વસ્ત્રના તાંતણાએ વિગેરેમાં શા માટે પ્રયાસ કરતે નથી? આવા પ્રકારના વાદને “ પ્રતિતંત્ર સિદ્ધાંત” કહી શકાય. अधिकरणसिद्धान्त જેમાં એકની સિદ્ધિ કરવા જતાં બીજાની પણ સિદ્ધિ પ્રસંગથી થઈ જાય તે અધિકરણ સિદ્ધાંત. જેમકે–કાર્યવ હેતુથી પૃથ્વી, પર્વત વિગેરેમાં બુદ્ધિમાન કર્તાની સિદ્ધિ કરવા જતાં, તેવાં પ્રકારના કાર્યો બનાવવામાં અન્ય સમર્થ ના હેવાથી નિત્ય જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન વિગેરેના આધારભૂત તે વ્યક્તિ હોવી જોઈએ. એવી સિદ્ધિ પ્રસંગથી થઈ જાય છે. अभ्युपगमसिद्धान्त પિતાને ઈષ્ટ ન હોય તે પણ આગ્રહથી અથવા
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy