SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬. તન્વાખ્યાન. મિત પ્રદેશમાં રહીને પણ કાર્યો કરી શકે, એમાં કેઈ દેષને અવકાશ મળતા નથી. તે પછી ઈશ્વરને શરીરથી સર્વવ્યાપક શા માટે કહેવા ? સામાન્ય દેવે પણ નિયત સ્થળમાં રહી સંકલ્પ માત્રથી ઈષ્ટ કાર્ય બજાવી શકે છે તે મહાન સમર્થ ઈશ્વરે આટલે બધે પ્રયાસ શા માટે ઉઠાવવું જોઈએ? ઈશ્વરને શરીરથી સર્વવ્યાપક માનવામાં બીજા પણ અનેક દેશે આવે છે. જેમકે ઈશ્વર શરીરથી સર્વવ્યાપી હેવાથી તેને અશુચિમાં, નિરંતર અંધકારમય અને દુર્ગધમય નરક વિગેરે બીભત્સ સ્થળમાં પણ વર્તવાને દુઃખદ પ્રસંગ માને પડે કે જે કંઈ પણ ઈશ્વરભક્તને ઈષ્ટ હેય નહિ. ઉપર્યુક્ત દેષને નિવારવા માટે એમ પ્રતિવિધાન કરવામાં આવે કે–એ દોષ તે જ્ઞાનથી સર્વવ્યાપક માનનાર આપના મતમાં પણ સમાન જ છે. કેમ કે તે ઈશ્વર જ્ઞાનસ્વરૂપથી જ્યારે ત્રણે જગતમાં વ્યાપ્ત છે, તે તેને અશુચિ રસના આસ્વાદનો અને નરકાદિના દુઃખને કડ અનુભવ કરે પડે. આમ જ્યારે તમારે પણ દોષ આવે છે, ત્યારે અમને ઉપાલંભ આપવા આવવું એ અયુકત છે. જગકર્તા માનનાર મહાશયે જણાવેલ દોષ, જ્ઞાનથી ઈવરને સર્વવ્યાપક માનનારાઓના મતમાં આવી શકે નહિ. એમ દીર્ઘદ્રષ્ટિથી વિચારનારને સહજ દેખાઈ આવે છે. “જ્ઞાન પ્રાધ્યકારિ છે અર્થાત્ વસ્તુને સ્પર્શ કરી ગ્રહણ કરે છે.” એવી માન્યતા ધરાવનાર આય જેવાના મતમાં ઉપરને દોષ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy