SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ તત્ત્વાખ્યાન. અનુમાનની માન્યતા ઉપર દૃષ્ટિપાત. નૈયાયિકા પક્ષસત્વ વિગેરે પાંચ રૂપવાળા હેતુને સાચા હેતુ માને છે, પરંતુ તે પાંચ રૂપે હેત્વાભાસમાં પણ સ‘ભવી શકે છે. જે રૂપ હેતુ તથા હેત્વાભાસ એ બન્નેમાં રહે તે હેતુ યથા છે. એમ કેમ કહી શકાય ? અને જયાં સુધી હેતુવાકય સાચું ન હોય, ત્યાં સુધી અનુમાન પણ કેમ થઇ શકે ? નીચે જણાવ્યા મુજબ પાંચ રૂપા હેત્વાભાસ થઇ શકે છે, તે આ પ્રમાણેઃ— તે બાળક શ્યામ છે. મિત્રા નામની સ્ત્રીને પુત્ર હેાવાથી, જોવાતા તેના બીજા પુત્રાની જેમ. ’ આ અનુમાનમાં આપેલ હેતુ પાંચ રૂપવાળા હેાવા છતાં પણ હેત્વાભાસ છે. વાસ્તવિક સ્વરૂપ વિચારીએ તે સાધ્ય વિના જેની ઉપપત્તિ બિલકુલ ન થઇ શકતી હોય તે જ હેતુ સાચા ગણી શકાય, પરંતુ ફ્કત પાંચ રૂપવાળા હોય તે હેતુ સત્ય જ હાય એવી માન્યતા તે ભૂલભરેલી છે. એથી અનુમાન પ્રમાણુની માન્યતાને પણ આઘાત પહોંચે છે. ઉપમાન ઉપર વિચાર. ગવય ( રાઝ ) નહિ જાણનારા મનુષ્યને કેાઇએ સમજાવ્યું કે ગાયના જેવા જે હોય તે ગવય કહેવાય. એમ સરખામણી આપી સમજાવ્યા પછી તે મનુષ્ય વનમાં ગયા આદ જયારે તેવા પ્રાણીને જીવે ત્યારે પહેલાં જણાવેલા ઉપમાન
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy