SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ તવાખ્યાન, * * * * * गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः । मा गादितिच्छलादीनि प्राह कारुणिको मुनिः ॥२॥" ભાવાર્થ –દુઃખ પૂર્વક શીખેલ કુતર્કોના અંશથી જેઓનાં મુખે વાચાળ થએલાં છે, એવા વિતંડાવાદના આડં. બરથી વિભૂષિત થયેલા વાદિયે અન્યથા (જે છળ વિગેરેને ઉપયોગ ન કરવામાં આવે તે) કેવી રીતે જીતી શકાય ? ગતાનગતિક લોકસમૂહ તેઓથી ઠગાઈને કુમાર્ગમાં ન જાય” એવા હેતુથી કરૂણાવંત ઋષિજીએ છળ વિગેરે કહેલ છે. આમ છળ વિગેરે કરવામાં કઈ દેષ નથી, કિન્ત લાભ જ છે. આવી મહર્ષિની એક્ષેપગિની શિક્ષા છે. નૈયાયિકે પ્રથમ દર્શાવેલ ૧૬ પદાર્થોના તત્વજ્ઞાનથી મોક્ષ માને છે, પરંતુ વાસ્તવિક સ્વરૂપ વિચારીએ તે તે ૧૬ પદાર્થોમાંથી પ્રત્યેકનું જ્ઞાન અથવા સમુદાયનું જ્ઞાન મેક્ષ આપવામાં કારણભૂત થઈ શકે નહિ, એમ સ્પષ્ટ સમજી શકાય તેમ છે. કેમકે ફકત એકલા જ્ઞાનમાત્રથી જ મુકિત થઈ શકતી નથી. જે એમ જ મુકિત થતી હોય તે તપ, જપ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, સંન્યસ્તાવસ્થા વિગેરે કિયા અનુષ્ઠાને નિષ્ફળ થવાથી તેને કેઈ આદર આપેજ નહિ. કદાચ તેઓ (નૈયાયિક) તરફથી એમ કહેવામાં આવે કે– અમે કાંઇ કિયાને નિષેધ કરતા નથી, તત્વજ્ઞાન,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy