SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ તન્યાખ્યાન, નિમિત્તના અભાવે જોવામાં ન આવ્યા, પરંતુ પૂર્વમાં દેખેલા હોવાથી સ્મરણ તે બરાબર છે. ત્યારે વિચાર થયે કે–આ બે વિરૂદ્ધ ધર્મો એકમાં તે સંભવી શકે નહિ; તેમ સામાન્ય ધર્મો દેખાતા હેવાથી અભાવ પણ માની શકાય નહિ ત્યારે તે વખતે સંશય પેદા થાય છે. તેના બે ભેદ છે–એક અન્તઃસંશય અને બીજે બાહ્ય સંશય. કેઈએક નૈમિત્તિક પુરૂષે કંઈક ગ્રહ-સંચારાદિ નિમિત્ત પ્રાપ્ત કરીને સારું થયું હતું અથવા થશે, નરસું થયું હતું યા થશે–આ આદેશ કર્યા બાદ તેના વાકયથી તેમજ થયું. પછી બીજા કેઈ વખતે જ્યારે સારા નરસા વિષયમાં કહેવામાં આવ્યું ત્યારે તેથી ઉલટું ફલ માલુમ પડયું. મનમાં વિચાર થયે કે જે નિમિત્તબલથી પ્રથમ કહ્યું હતું, તેજ નિમિત્તબલથી અત્યારે પણ કહેવામાં આવ્યું છતાં ફલ ઉલટું કેમ થયું. આ વિચાર થયા બાદ સંશય થયે-જે હને પિતાને નિમિત્તજ્ઞાન થયું હતું તે શું સાચું છે કે હું ? આનું નામ અન્તઃસંશય સમજ. બાહા સંશયના બે ભેદ છે--પ્રત્યક્ષ વિષયમાં અને અપ્રત્યક્ષ વિષયમાં. આ શું લાકડું છે કે પુરૂષ છે એ પ્રત્યક્ષ વિષચમાં. અને એકલું શીંગડું જેવાથી સંશય થાય કે આ ગાય છે કે રેઝ ! એ પક્ષ વિષયમાં સમજ. વિપર્યયસ્વરૂપનિરૂપણ. વિપર્યયના બે ભેદ છે. પ્રત્યક્ષ વિષયમાં અને અપ્રત્યક્ષ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy