SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન, ૨૩૧ વિષયમાં, પિત્ત, કફ અને વાયુ દેશવાળી ઈન્દ્રિયે જેને હોય એવા પુરૂષને યથાર્થ આલોચન કર્યા સિવાય તથા અધર્મ સહિત આત્મા મનના સંયેગથી શંખમાં પીળાપણાનું જ્ઞાન, ગાયમાં અશ્વનું જ્ઞાન જે થાય તે પ્રત્યક્ષ વિષયક વિપર્યય કહેવાય. નિત્યમાં અનિત્યનું, અનિત્યમાં નિત્યનું, આત્મામાં જડનું, જડમાં આત્માનું જે જ્ઞાન, સુખમાં દુઃખનું, દુઃખમાં સુખનું, શાક્યાદિ બીજા દર્શનમાં આ શાકય દર્શનજ સાચું છે, કારણમાં અકારણનું, અહિતમાં હિતનું જે જ્ઞાન થાય તે પરોક્ષ વિષયક વિપર્યય સમજ, અનધ્યવસાયસ્વરૂ૫. અનધ્યવસાયના બે ભેદ છે. પ્રત્યક્ષ વિષય, બીજે પરોક્ષ વિષય. ચિત્ત બીજા વિષયમાં લાગેલું હોવાથી અને વિશેષ જ્ઞાનને અથી હેવાથી પ્રસિદ્ધ પદાર્થમાં, આ શું! એ જે ખ્યાલ આવે તેનું નામ અનધ્યવસાય કહેવાય. અર્થા–પનસના વૃક્ષમાં આ વૃક્ષ છે, શાખાવાળું છે એ તે અધ્યવસાય છે, પરંતુ આનું પનસ નામ છે એ ઉપદેશ ન હોવાથી તથા જેને વિશેષ નામની ખબર નથી એવા પુરૂષને મનમાં એમ થાય છે કે એનું નામ શું હશે. એટલા ખ્યાલ માત્રથી જ્યાં સંજ્ઞાવિશેષનું અવધારણ ન થાય ત્યાં તેને અધ્યવસાય કહેવામાં આવે છે, આ પ્રત્યક્ષ વિષય અનધ્યવસાય સમજ. નાળીએર દ્વીપમાં રહેવાવાળા
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy