SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ તત્ત્વાખ્યાન. ૬ ઠ્ઠો, છ મા, ૮ મા, હું મા પક્ષ પણ વિચારતાં યુક્તિયુક્ત ભાસતા નથી. કેમકે અનાદ્વિ નિત્ય સજ્ઞ પરમેશ્વરને સુખ તે સદા હોય જ. દુઃખ હાઇ શકે નહિ. તેમની દુઃખવિનાશ અને સુખ માટે પ્રવૃત્તિ સંભવે જ નહિ, અને પ્રત્યવાચ પણ તેમને ન હોઇ શકે. પ્રત્યવાય તે અજ્ઞાનિ જીવાને સભવે; પ્રત્યવાય જ ન હોય તા તેના વિનાશ માટે પ્રવૃત્તિ કયાંથી થાય ? અને ભવિષ્યના પ્રત્યવાયની કલ્પના પણ વ્યર્થ છે. ૧૦ મા પ્રકાર પણ માન્ય રાખી શકાય તેમ નથી. કેમકે જગદીશનો સ્વભાવ જ જગત્ની રચના પ્રવૃત્તિના હોય તા નિવૃત્તિ પામવાની તેમને શી જરૂર ? કિંતુ ઈશ્વર પોતે સ્વભાવે જ જગત્ની રચના કરે છે, તે પછી તેમને નિત્ય, વ્યાપક, સર્વજ્ઞ વિગેરે પ્રકારનાં વિશેષણાથી યુકત કહેવાની પણ શી આવશ્યકતા ? સ્વભાવથી જ સંસારચક્ર ફર્યો કરે છે. એમ કહેવામાં પણ શી અડચણુ ? એ બધા પ્રયાસ ઇશ્વરને જગત્કર્તા માનવાથી ઉડાવવા પડે છે, એથી વીતરાગ પરમેશ્વરને જગત્ની રચના કરનાર ન માનતાં તેમને ફક્ત સાક્ષી માની કા માત્ર પોતપોતાની સામગ્રીના સમુદાયથી અને છે, એમ જ માનવું સર્વોત્તમ છે. " ‘ જગત્કર્તા જગત્ ન બનાવે તે તેની ઉત્પત્તિ કેમ થઇ શકે ? ' એ પ્રશ્નના પ્રત્યુત્તર એટલેા જ છે કે-‘ કર્મ, સ્વભાવ, ઉદ્યમ, નિયતિ અને કાળ એ પાંચ કારણેાના સમુદાયથી જગતનાં સ કાર્યાં અને છે.’
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy