SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૧૧ જેમ રસાડા વિગેરેમાં જોવામાં આવે છે. અને જ્યાં જ્યાં અગ્નિ નથી હોતા, ત્યાં ત્યાં ધૂમ પણ નથી હોતા. જેમ નદી, કુવા, તળાવ વિગેરેમાં અહિં સપક્ષ અને વિપક્ષ બન્ને છે. ‘ પૂર્વવત્’ ના ીજો અથ. કારણુ ઉપરથી કાર્યનું અનુમાન કરવું તે પૂર્વવત્ જેમકે-આ મેઘ વૃષ્ટિને અવશ્ય ઉત્પન્ન કરનાર થવા જોઇએ. કેમકે-ગભીર ગારવ, વીજળીનું વારવાર થવું, મેઘની ઉન્નતદશા, શ્યામકાંતિ વિગેરે વરસાદનાં ચિો માલૂમ પડે છે, જે જે મેઘ આવા પ્રકારના સ્વરૂપવાળા હોય છે, તે તે સ વૃષ્ટિના ઉત્પાદક જોવામાં આવે છે. પૂર્વીના મેઘાની જેમ. કાઇક એમ શકા કરે કે—આવા મ્હોટા મેઘ પણ કદાચિત વૃષ્ટિના ઉત્પાદક થતા નથી, તેથી આવા નિશ્ચય પ્રેમ કરી શકાય ? ’ તે તેના પ્રત્યુત્તરમાં સમજવું કે તેમાં સારી રીતે કારણનું જ્ઞાન કર્યાં વિના કાના અનુમાન પર આવનાર પુરૂષના દોષ ગણી શકાય. કેમકે નિશ્ચિત કારણા જાણી તે ઉપરથી કરેલું કાર્ય નું અનુમાન અસત્ય થઇ શકતું નથી. ‘ શેષવત્’ નુ અન્ય સ્વરૂપ કાય. ઉપરથી કારણનું અનુમાન કરવુ તે ‘ શેષવત્’ અનુમાન. જેમકે આ નદીમાં વરસાદનું કાર્ય–જલ્દીથી પાણીનુ પૂર આવવું, ફળ, કુલ, પત્ર, કાષ્ઠ વિગેરેના સમૂહનું આવવું,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy