SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ તવાખ્યાન. વવામાં આવે છે, તે સાધ્યને પ્રાપ્ત કરીને સિદ્ધ કરવા સમર્થ થાય છે, કે સાધ્યને પ્રાપ્ત કર્યા વિના પણ? પ્રત્યુત્તરમાંપ્રાપ્ત કરીને એમ કહેવામાં આવે તે તે ઠીક નથી. કેમકે જ્યાં સુધી બન્ને વિદ્યમાન ન હોય-એક વિદ્યમાન હોય અને બીજું નષ્ટ થયું હોય, ત્યાં સુધી પ્રાપ્ત કહી શકાય નહિ.. અને કદાચ અપ્રાપ્ત છતાં સિદ્ધ કરવા સમર્થ થાય તે અતિપ્રસંગ દોષ આવશે. ૯-૧૦. જેમાં પ્રસંગના આપાદનથી ખંડન કરાય તે પ્રસંગસમા જાતિ. જેમકે-તમે અનિત્યની સિદ્ધિમાં કાર્યત્વ હેતુ આપે, છે. પરંતુ કાર્યવની સિદ્ધિમાં કેને હેતુ કરશે ૧૧ ' જેમાં વિપરીત દૃષ્ટાંતથી ખંડન થાય તે પ્રતિદષ્ટાંતસમા જાતિ. જેમકે-શબ્દ અનિત્ય છે, પ્રયત્ન સિવાય બની શકતે નથી માટે, ઘડાની જેમ. એમ કહેનારને જાતિને પ્રયોગ કરનાર જાણ કે-પ્રયત્ન સિવાય ન બનનાર ઘડાને જેમ તમે અનિત્ય કહે છે, તેમ કુવા વિગેરે ખોદતાં થતું આકાશ (પિલાણ), તે પણ પ્રયત્ન સિવાય ન થતું હેવાથી તે (આકાશ) ને પણ અનિત્ય માનવું પડશે. ૧૨ . જેમાં અનુપપત્તિથી ખંડન કરવામાં આવે તે અનુપપત્તિસમા જાતિ. જેમકે-શબ્દરૂપી ધમ જ્યાં સુધી ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી કાર્યસ્વરૂપ ધર્મ ક્યાં રહે? ૧૩ ' પૂર્વમાં જણાવેલ સાધમ્યવધર્યાસમાં જાતિને સંશય કરી ઉપસંહાર કરાય, તે તે સંશયસમાં જાતિ કહેવાય છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy