SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ તત્ત્વાખ્યાન, ગના બે ભેદ છે. એક કારણના વિભાગથી ઉત્પન્ન થયેલ વિભાગ બીજે કારણ-અકારણના વિભાગથી ઉત્પન્ન થયેલ વિભાગ. દરેક વિભાગ ક્ષણિક હેવાથી ઉત્તર સંગ સુધી તેની સ્થિતિ માનવામાં આવે છે. કોઈ ઠેકાણે સંગથી અને કઈ ઠેકાણે આશ્રયના નાશથી વિભાગને નાશ માનવામાં આવે છે. પરત્વ–અપરત્વનિરૂપણ. આ પદાર્થથી આ પદાર્થ પર છે, તથા એથી આ અપર છે, એવા વ્યવહારનું જે કારણ હોય તે પરત્વ અપરત્વ કહેવાય. તેના બે ભેદ છે--એક દિશાથી થયેલ અને બીજું કાલથી થયેલ. દૂર અને નજીકના વ્યવહારમાં દિશાકૃત પરત્વ અપરત્વ સમજવું. અને હાના હેટાના વ્યવહારમાં કાલકૃત પરત્વ અપરત્વ સમજવું. ભાવાર્થ-કાશીની અપેક્ષાએ પ્રયાગથી પટણા દૂર છે. મુંબઈની અપેક્ષાએ અમદાવાદથી પૂના દૂર છે. તેવી જ રીતે પ્રયાગની અપેક્ષાએ કાશીથી પટણા નજીક છે. અમદાવાદની અપેક્ષાએ મુંબઈથી પૂના નજીક છે. આવે ઠેકાણે દિશાએ કરેલ પરત્વ અપરત્વને વ્યવહાર સમજ. પચાસ વરસ વાળાની અપેક્ષાએ સે વરસવાળ મટે છે. સે વર્ષ વાળાની અપેક્ષાએ પચાસ વાળો માને છે. આ વ્યવહાર કાલથી થયેલા. સમજ. અપેક્ષા-બુદ્ધિના નાશથી એને નોંશ થાય છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy