SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ તત્વાખ્યાન. તેજનું નિરૂપણ. ઉષ્ણ સ્પર્શ જેમાં હેય તે તેજ કહેવાય. રૂપ, રસ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંગ, વિભાગ, પરત્વ, અપરત્વ, દ્રવત્વ, સંરકાર–એ અગીઆર ગુણે તેજમાં સમજવા. રૂપ ભાસ્વર શુકલ છે. સ્પર્શ ઉષ્ણ હોય છે. તેના બે ભેદ છે. નિત્ય અને અનિત્ય. નિત્ય તેજ પરમાણુનું સમજવું. કાર્યરૂપ અનિત્યના ત્રણ ભેદ છે. શરીર, ઇન્દ્રિય, વિષય. પાર્થિવ અવચના સંયેગ સહિત તેજથી બનેલું તેજસ શરીર કેવળ અનિજ છે, અને તે પણ આદિત્ય લેક સિવાય બીજે સમજવું નહિ. પૃથ્વી વિગેરેના અવયથી અભિભૂત નહિ થયેલ એવા તેજના અવયવથી બનેલી અને ગબ્ધ વિગેરે ગુણેમાંથી કેવળ રૂપનું જ ગ્રહણ કરતી હોવાથી ચક્ષુ ઈન્દ્રિય તૈજસ છે. દિવ્ય, આદર્ય, ભામ, આકરજ લાકડાં વિગેરેથી ઉત્પન્ન થયેલ ઉર્વજવલન સ્વભાવવાળે, પકાવવું, બાળવું વિગેરે કાર્યો કરવામાં જે સમર્થ હોય તે ભામ તેજ કહેવાય. વિજળી વિગેરે દિવ્ય તેજ કહેવાય. કરેલા આહારને રસાદિ રૂપે બનાવવામાં જે કારણ હોય તેવા જઠરાગ્નિને આદર્ય તેજ કહેવામાં આવે છે. સુવર્ણ વિગેરે આકરજ તેજ કહેવાય.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy