SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. ૨૦૧ વૃ, પુષ્પ સિવાય ફળ ના હોય તે વનસ્પતિ, ઉદુમ્બર વિગેરે, લતા, ગુલ્મ–આ સર્વ સ્થાવર પૃથ્વી સમજવી. ઉપભેગનું જે સાધન હોય તે વિષય કહેવાય, એજ વિષયપદનો અર્થ સમજ. જલનું નિરૂપણ. - શીત સ્પર્શવાળું જે હોય તે જળ કહેવાય. તેમાં રૂપ, રસ, સ્પર્શ, દ્રવત્વ, સ્નેહ, સંખ્યા, પરિમાણ, પૃથર્વ, સાગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરૂત્વ સંસ્કાર–આ ચાદ ગુણે છે. રૂપ કેવળ અભાસ્કર શુકલ સમજવું. રસ મધુર સમજ. સ્પર્શ શીત સમજે. દ્રવત્વ સ્વભાવ સિદ્ધ હોવાથી સાંસિદ્ધિક સમજવું. તે જલના બે ભેદે છે. એક નિત્ય, બીજું અનિત્ય. નિત્ય પરમાણું રૂપ છે. અનિત્ય કાર્યરૂપ છે. તેના ત્રણ ભેદ છે. શરીર, ઈન્દ્રિય, વિષય. શરીર કેવળ અનિજ વરૂણ લેકમાં પ્રસિદ્ધ છે. તે પણ પાર્થિવ અવયના ભેગા મળવાથી ઉપભોગનું સાધન થઈ પડે છે, કેવળ જલના શરીરથી ઉપભેગ બની શકે નહિ, કિન્તુ જલની પ્રધાનતા હોવાથી તે શરીર જલીય કહેવાય છે. જલના અવયવોથી બનેલી રૂપાદિની મધ્યમાં રસનું જ ગ્રહણ કરતી હોવાથી સકતુના રસને પ્રકાશક જલની માફક રસના ઈન્દ્રિય પણ જલની બનેલી હેવી જોઈએ. નદી, તળાવ, કુવા, ટાંકુ, સમુદ્ર, હિમ અને કરા વિગેરે જલના વિષયે સમજવા,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy