SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ તરવાખ્યાન. ૪૧ આકાર, જલધારણ આદિ કિયા વિગેરે સર્વ ગુણથી માટીમાં વિદ્યમાન હેય; તે પછી દંડ, ચક્ર, કુંભકાર વિગેરે કારણ સામગ્રીની તે કાર્ય પરત્વે બિલકુલ આવશ્યકતા રહેતી નથી. કારણ કે-જે વસ્તુ સર્વ આકારથી વિદ્યમાન હોય તેમાં ઉત્પત્તિ થવાને વ્યવહાર કેમ થઈ શકે? જેમ પ્રકૃતિ યા પુરૂષતત્ત્વ પિતાના સર્વ આકારથી સવંદા વિદ્યમાન હોવાથી તેમાં ઉત્પત્તિને વ્યવહાર કરવામાં આવતું નથી. તેમજ ઘટ વિગેરેમાં પણ બનવું જોઈએ. આ બને તે પણ પિતાના સ્વરૂપથી નિરંતર વિદ્યમાન હોવાથી કઈ રીતે એમાં ઉત્પત્તિના વ્યવહારને અવકાશ નથી. “જે વસ્તુ પિતાના સ્વરૂપથી વિદ્યમાન હોય તેને અમુકથી ઉત્પન્ન થઈ એમ માનવું. એ વ્યવહાર વિરૂદ્ધ છે. બીજો પક્ષ ગ્રહણ કરવામાં આવે તે સ્યાદ્વાદ (અનેકાંત) શૈલી માનનાર મનુષ્યને હાનિ નથી. કારણ કે તેઓ દ્રવ્યર્થિકનયની અપેક્ષાએ દ્રવ્યરૂપે (પ્રતિકારૂપે તિભાવથી) માટીમાં ઘડે હેવાનું સ્વીકારે છે, પરંતુ કંબુગ્રીવાદિ પર્યાયરૂપ ઘડાની સત્તા માટીમાં નથી એમ કહે છે. કિંતુ તે માન્યતા એકાંતવાદિ (સાંખ્ય) ને ઈષ્ટ નથી. તેથી તેઓથી માની શકાય નહિ. નીચેને વિકલ્પ સાંખ્યવાદિને પ્રશ્નરૂપે પૂછી શકાય કે જે સ્વરૂપથી દહિં દૂધમાં વિદ્યમાન છે, તે સ્વરૂપ ધિથી ભિન્ન છે અથવા અભિન્ન (એક) જ છે?” તેના જવાબમાં જે ભિન્નતાને પક્ષ માનવામાં આવે, તે કારણમાં કાર્યની સત્તા માનવી વ્યર્થ થઈ જશે. જે બીજે પક્ષ માનવામાં આવે તે કાણની નિરર્થકતા સાથે વ્યવહારને નાશ થાય છે. રંધરૂપે
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy