SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ તળાખ્યાન જણાતી અવરથામાં તેનાથી વિલક્ષણ સ્વરૂપવાળું દહિં તેમાં છે, એમ કે પ્રેક્ષાવાન માની શકે નહિ. અને દધિનાં ૧ શિખંડ, રાઈતું, કઢી, વિગેરે કાર્યોની ઈચ્છા ધરાવનાર મનુષ્ય તેનાથી કાર્ય સાધી શકે નહિ. દૂધનાં કાર્યો દૂધપાક, મા વિગેરે દૂધથી જ સધાય છે અને દહિંના કાર્યો દહિંથી. સાંખ્ય લોકો તરફથી કદાચ એમ કહેવામાં આવે કેકારણમાં કાર્ય તિરહિતરૂપે રહે છે અને તેવા પ્રકારની કારણસામગ્રી મળવાથી કાર્યની અભિવ્યક્તિ થાય છે એવું અમે માનીએ છીએ, તેથી કારણની નિરર્થકતા થતી નથી.” એ પ્રત્યુત્તર તરફ વિકલ્પ ઉત્પન્ન થાય છે કે-“કાર્યની અભિવ્યકિત કારણમાં સભાવથી છે, યા અસદ્ભાવથી?”પ્રતિવાદી તરફથી પ્રથમ પક્ષને માન અપાય, તે કારણના વ્યાપારનું પ્રયેાજન રહે નહિ. બીજે પક્ષ માનવામાં આવે કે-અસહ્માવથી કાર્યની અભિવ્યકિત થાય છે તે આકાશપુષ્પ વિગેરે અભૂતથી પણ કાર્યની સત્તાને પ્રસંગ આવશે. - સત્કાર્યવાદને સર્વથા માનવા જતાં મોક્ષને પણ અભાવ થશે. કારણ કે આપે સ્વીકારેલ મિથ્યાજ્ઞાનથી થતે બંધ તે નિત્ય હેવાથી, સર્વ જી બંધાવસ્થામાં મસ્ત હેવાથી મુકિત ન મેળવી શકે એ સ્વાભાવિક છે. “મિચ્યાજ્ઞાનરૂપ આવરણના નાશથી મેક્ષ થવામાં હાનિ નથી. એમ પ્રતિપક્ષ તરફથી સમાધાન કરવામાં આવે છે તે પણ એગ્ય નથી. કેમકે જ્યાં સુધી પૂર્વસ્વરૂપને ત્યાગ ન કરવામાં આવે, ત્યાં સુધી
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy