SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ તવાખ્યાન. ઉલક ગેત્રમાં ઉત્પન્ન થયેલ હોવાથી લુક્ય નામ અને છ પદાર્થોને માનતા હેવાથી એમનું ષડેલુય નામ સમજવું. આ સર્વ બીના વિશેષાવશ્યકમાં પૃ. ૯૮૧ થી ૧૦૦૩ સુધી વિવેચન કરીને સારી રીતે જણાવવામાં આવી છે. આ ઉપરથી સહેજ સમજી શકાય તેમ છે કે ખુદ ઈશ્વરે ઘુવડનું રૂપ ધારણ કરી કણાદ ઋષિ અપર નામ રેહગુપ્તની આગળ છ પદાર્થોને ઉપદેશ કર્યો એમાં કેટલી સત્યતા છે તેને વિચાર કરવાનું કાર્ય વાંચક વર્ગને સેંપવામાં આવે છે. પિતે કપેલા પદાર્થોને ઈશ્વરપ્રણીત કહેવરાવવાની ખાતર ઈશ્વરને જ ઘુવડના રૂપનું ધારણ કરવાનું કંલક આપવું તે સારા મનુષ્યને શેભા સ્પદ કહેવાય નહિ. વળી ઈશ્વરને બીજી કોઈ પણ રીતે ઉપદેશ આપવાનું યાદ ન આવ્યું કે જેથી ઘુવડનું રૂપ ધારણ કર્યું. અશરીરિ ઈશ્વરને કઈ વાર ઘુવડનાં તે કઈ વાર વરાહના અને કઈ વાર મચ્છનાં રૂપે બનાવવાની કલ્પના કરવી, આવી અસંબદ્ધ વાતે શ્રદ્ધાળુ ભકતે સિવાય બીજાઓના મને મદિરમાં કેવી રીતે નિવાસ કરી શકે એને વિચાર આપ પોતેજ કરશે. આ સિવાયની ઇશ્વર વિષયની માન્યતા નૈયાયિકના જેવી હેવાથી નૈયાયિક દર્શનની સમાલોચનાના પ્રસ્તાવમાં વિવેચન કરેલ હોવાથી અત્ર વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. આ દર્શનના પ્રથમ પ્રણેતા ઐલુકય વંશીય કણાદ ઋષિ હોવાથી આ દર્શન અનાદિ કાલનું છે એમ તે કઈ પણ કહેવાનું સાહસ કરી શકે જ નહિ. હવે પદાર્થોને વિચાર કરવામાં આવે છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy