SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ તારીખ્યાન. કઈ પ્રમાણ નથી કે જેના દ્વારા આત્માને ભિન્ન પદાર્થરૂપે સ્વીકારવામાં આવે. તેથી આત્મા છેજ નહિ. વિશેષ પૂર્વમાં જણાવેલા પાંચ સ્ક પણ ક્ષણિક (ક્ષણમાત્ર અવસ્થાયિ) હોવાથી પ્રતિક્ષણે બદલાતા જાય છે એથી તે સ્કધે નિત્ય નથી, તેમ સ્વ૫ સમય સુધી સ્થિર રહે છે એમ પણ ન કહી શકાય. એ સ્વરૂપ માર્ગતત્વના નિરૂપણ પ્રસંગે સ્પષ્ટ થશે. એ પ્રમાણે ઉપર બતાવેલ પાંચ રકોને દુઃખતરવ કહેવામાં આવે છે. ૨ સમુદયતત્ત્વ. જેથી રાગ, દ્વેષ, મોહ, મત્સર, કામ, ક્રોધ, માન, માયા વિગેરે દૂષોના સમુદાયને પ્રાદુર્ભાવ થાય, તેને સમુદયતત્ત્વ કહેવામાં આવે છે. આ દૂષણગણની ઉદયાવસ્થામાં જીવે અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. આ મહારૂં છે, આ પારકું છે, સ્ત્રી, પુત્ર, પુત્રી, કુટુંબ, ધન, વસ્ત્ર, ઘર, માલ મીલકત વિગેરે સર્વ વસ્તુઓમાં મમત્વબુદ્ધિ થાય તે સમુદયતત્ત્વના કાર્યરૂપ રાગનું ચિહ્ન છે. હું તે સર્વને સંબંધી છું, મારા સિવાય તેઓને લગારમાત્ર ચાલે તેમ નથી, તે સર્વમાં મારી જ સત્તા છે. આવું કથન એ સમુદયતત્ત્વના કાર્યરૂપ અભિમાનથી થાય છે. તથા પરસ્ત્રી, પરધન, પરકુટુંબ વિગેરેમાં જે અન્યત્વબુદ્ધિ, પિતાની વસ્તુ ઉપર સ્વત્વની બુદ્ધિ, અન્ય સર્વ મારાથી ભિન્ન છે, તેઓ પારકા હોવાથી મારા કાર્યમાં આવવાના નથી; એ વિગેરે જે સ્વકીય-પરકીય વસ્તુને વિચાર-તે મહાહનું
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy