SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન, “તે સ્વભાવ પ્રથમ બિલકુલ ન હતો તે અંત્યાવસ્થામાં કયાંથી આ ?”તેના સમાધાનમાં એમ કહેવામાં આવે કે “એને સ્વભાવ જ એવા પ્રકારને છે કે કેટલાક સમય સુધી સ્થિર રહીને પછી વિનાશ પામે છે. તે આ ઉપરથી એ આશય સહેજ ફુરી આવે છે કે-મુદગર વિગેરે ઘટનાશક સામગ્રીની સદ્ભાવદશામાં પણ કેટલાક સમય સુધી સ્થિર રહી તે પદાર્થો પાછળથી નષ્ટ થઈ જાય છે. એથી એ પણ ભાવ નીકળે છે કે “ઘડા ઉપર સેંકડો પ્રહાર કરવા છતાં પણ ઘડે બિલકુલ ફટ ન જોઈએ, સર્વદા તેની તેજ સ્થિતિમાં રહેવું જોઈએ. આથી “ઘડે નષ્ટ થયે.”એવા જગત્મસિદ્ધ વ્યવહારને લેપ થવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે.” ઉપર્યુક્ત યુક્તિઓથી પદાર્થો નિત્ય છે, અથવા અનિત્ય છે. એ બેમાંથી એક પણ પક્ષ સમુચિત નથી, પરંતુ “સર્વ પદાર્થો ક્ષણિક છે.” એ યુક્તિયુક્ત હેવાથી માનવું ઉચિત છે. સર્વ પદાર્થો ક્ષણિક છે, આત્મા નામને પદાર્થ છે જ નહિ; આવા પ્રકારની પૂર્વ વિજ્ઞાનથી ઉત્પન્ન થયેલી જે વાસના, તે જ વાસનાયુક્ત ક્ષણની પરંપરાથી ઉત્તરોત્તર જ્ઞાનમાં ઉત્તરત્તર સંસ્કારનું જે આવવું, તે જ માર્ગ તત્વ છે. સારાંશ એજ છે કે–પૂર્વ વિજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંસ્કાર તેના ઉત્તર વિજ્ઞાનમાં બીજા નવા સંસ્કારે ઉત્પન્ન કરાવી તત્કાલ સ્વયં નષ્ટ થઈ જાય છે, એવી જ રીતે ઉત્તરોત્તર એક બીજામાં ૧ આ ક્ષણિકવાદનું નિરાકરણ આગળ “ બાહ લેકના પદાર્થોની સમાલોચના” નામના પ્રસ્તાવમાં થશે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy