SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન, પહે હવે અનિત્ય પક્ષનું આલેખન કરી સ્થિરવાદનું નિરાકિરણ કરીએ. વિનશ્વર સ્વભાવવાળા પદાર્થો પિતાના કારણથી ઉત્પન્ન થાય છે, તે પદાર્થો ક્ષણિક જ ઉત્પન્ન થાય છે. કારણ કે જે પદાર્થો પિતાની ઉત્પત્તિના બીજા ક્ષણમાં જે સ્વયમેવ નાશ ન પામે, તે તેને નાશક બીજે કણ હોઈ શકે ? એથી ઉત્પત્તિને જ બીજા ક્ષણમાં નાશના હેતુભૂત માનવી જોઈએ. '' સ્થિરવાદીઓ કદાચ આ પ્રમાણે કહે કે-“મુગર વિગેરે ઘટનાશક સામગ્રી મળે ત્યારે જ ઘટને નાશ થાય છે, પરંતુ તે સામગ્રી અનિત્ય હોવાથી ઘટ વિગેરે પદાર્થો ક્ષણિક છે, એમ કહી શકાય નહિ. “વિનાશક કારણ સામગ્રીને સમુદાય એકત્ર મળે ત્યારે વસ્તુને નાશ થાય અને જ્યાં સુધી તે સમુદાય એકત્ર ન મળે ત્યાં સુધી તે પદાર્થો સ્થિર રહે. એવી માન્યતા ઉચિત ગણી શકાય.” તે તેને પ્રત્યુત્તર આ પ્રમાણે આપી શકાય છેઃ-મુદ્ગર વિગેરે ઘટનાશક સામગ્રીની સભાવદશામાં ઘટને જે અંત્ય નાશ સ્વભાવ માનવામાં આવે છે, તે જ સ્વભાવ ઘટની ઉત્પત્તિ દશામાં વિદ્યમાન છે કે નહિ? જે સ્વભાવની વિદ્યમાનતા સ્વીકારવામાં આવે છે તેથી અમારા સિદ્ધાંતને વિશેષ પુષ્ટિ મળે છે કે ક્ષત્તિના બીજા ક્ષણમાં પદાર્થો નષ્ટ થાય છે. કદાપિ એમ કહેવામાં આવે કે – અંત્યાવસ્થામાં માનેલે વિનવર સ્વભાવ તે તેની ઉત્પત્તિની અવસ્થામાં બિલકુલ નથી.” તો પ્રશ્નને અવકાશ મળે છે કે
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy