SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ તન્વાખ્યાન. પ૦ સામાન્ય નિયમ એ છે કે-પિતા પોતાની અર્થ ક્રિયા કરવામાં સમર્થ હોય, તે જ વાસ્તવિક રીતે સતપદાથે કહી શકાય. પદાર્થ નિત્ય હોવા છતાં અર્થ ક્રિયા કરવામાં પ્રવૃત્તિમાન થાય છે; એમ કથન કરનારને પૂછવું જોઈએ કે તે નિત્ય પદાર્થ અનુક્રમે અર્થ ક્રિયા કરે છે અથવા યુગપ-એકી સાથે સર્વ અર્થ ક્રિયાઓ કરે છે. પ્રથમ પક્ષ યુક્તિ રહિત હેવાથી માની શકાશે નહિ, કેમકે જે સમયે તે નિત્ય પદાર્થ પ્રથમ અર્થ ક્રિયા કરવા પ્રયત્ન કરે, તે સમયે બીજી અર્થ ક્રિયા કરવાને સ્વભાવ તેમાં છે કે નહિ? જે બીજી અર્થ ક્યિા કરવાને સ્વભાવ તે સમયે છે, એમ સ્વીકારવામાં આવે તે પછી અનુક્રમે અર્થ ક્રિયા કરવાનું બીજું શું પ્રજન છે? તે વિચારણીય થઈ પડશે. કદાચ એમ સમાધાન કરવામાં આવે કે-સહકારિ બીજા કારણે ન મળવાથી તે નિત્ય પદાર્થ ભવિષ્યમાં થનારી બીજી અર્થ ક્રિયાઓ કરવામાં અસમર્થ છે. તે ઉપર્યુક્ત કથન ઉપર શંકા ઉદ્ભવે છે કે તે સહકારિ કારણે નિત્ય પદાર્થમાં શું કાંઈ વિશેષ અતિશય ઉત્પન્ન કરે છે કે જેથી તેની વિદ્યમાનતામાં જ તે અર્થયિા સાધી શકે અને તેના અભાવમાં ન કરી શકે? પ્રત્યુત્તર એવે આપવામાં આવે કે–નિત્ય પદાર્થમાં સહકારિ કારણે અતિશય વિશેષ ઉત્પન્ન કરે છે. સહકારિ કારણેથી ઉત્પન્ન થયેલ અતિશય વિશેષ નિત્ય પદાર્થના પૂર્વના સ્વભાવને પરિત્યાગ કરાવે છે કે કેમ, તેના પ્રત્યુત્તરમાં, પરિત્યાગ કરાવે છે, એમ કહેવામાં આવે છેતેથી અમારા પક્ષની જ પુષ્ટિ થશે. કેમકે પિતાના
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy