SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન, ૧૬૫ સફળતા મેળવી શકે. લચ્છુપગ રૂપ ભાવેન્દ્રિય તે રૂપ વિગેરે પદાર્થના વિષયે ગ્રહણ કરનાર આત્માના વ્યાપાર રૂપ છે. આવી રીતે મન પણ ૧ દ્રવ્યમન અને ૨ ભાવમન એમ બે પ્રકારનું છે, આ સંબંધિ વિશેષ વક્તવ્ય “જૈન દર્શન માં પ્રકટ કરવામાં આવશે. “ઈન્દ્રિયે વસ્તુને પ્રાપ્ત કર્યા પછી વિષયને પ્રકાશ કરે છે. ચક્ષુ, સ્પર્શનેન્દ્રિય વિગેરેની જેમ વસ્તુને પ્રાપ્ત કરી ગ્રહણ કરે છે, કેમકે તેમાં બાહેન્દ્રિયત્ન છે. ” આવું તેઓનું મન્તવ્ય માન્ય કરતાં પહેલાં વિચારવાની જરૂર છે કે––બાદેન્દ્રિય એટલે શું? શું બાહ્ય પદાર્થોમાં અભિમુખપણું હોવાથી તેને બાહેન્દ્રિય કહેવામાં આવે છે. અથવા બાહ્ય પ્રદેશમાં રહેલ હેવાથી ? એ બે વિકલ્પમાંથી પ્રથમ પક્ષ માનવામાં આવે તે વ્યભિચાર દેષ આવે. કેમકે મન પણ બાહ્ય અર્થના ગ્રહણમાં અભિમુખ હોવા છતાં પ્રાધ્યકારિ નથી. લક્ષ્યને મૂકી અલક્ષ્યમાં રહેનાર હેતુને વ્યભિચાર દષચુકત ગણવામાં આવે છે. બીજે પક્ષ માન્ય રાખવામાં આવે તે હેતુમાં અસિદ્ધ દોષ આવશે. કેમકે, તેઓના સિદ્ધાન્તમાં “ ગોલકમાં રહેલી તે દ્રવ્યને આશ્રય કરવા વાળી રશ્મિ જ ચક્ષુરૂપે મનાય છે, તેને બાહા દેશમાં રહેવાનું માનતા નથી.” ઇંદ્રિયત્વની સમાનતા હોવા છતાં મનને જેમ અપ્રાપ્યકારિ માનવામાં આવે છે, તેમ જ ચક્ષુમાં પણ અપ્રાપ્યકારિત્વ કેમ ન મનાય ? કેમકે ઇંદ્રિયત્ન રૂપ હેતુ તે બન્નેમાં સમાન છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy