SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪. તત્વાખ્યાન. આત્મા વ્યાપક નથી, કેમકે બીજાં વ્યાન્તર અસાધારણ સામાન્ય રૂપે હોવા છતાં અનેક હેવાથી, ઘટ વિગેરેની જેમ. અહિ એક દ્રવ્યથી અન્ય દ્રવ્યને દ્રવ્યાન્તર સમજવાનું છે, અથવા બીજી રીતે પણ અનુમાન થઈ શકે – આત્મા આકાશ વિગેરેની માફક વ્યાપક નથી, કેમકે આકાશ, કાળ, દિશા વિગેરેથી ભિન્ન હેવા છતાં ઘટ વિગેરેની જેમ દ્રવ્ય પણું હેવાથી. - આત્મા પરમમહત્વ પરિમાણનું અધિકરણ નથી, કારણ કે ચેતન હોવાથી જે પરમમહત્વનું અધિકરણ હેય તે ચેતન હોઈ શકે નહિ, આકાશ વિગેરેની જેમ. ઈત્યાદિ અનુમાનથી પણ આત્માની વ્યાપકતાનું નિરાકરણ થઈ જાય છે. તેઓના આગમના પ્રણેતા અનાપ્ત હોવાથી તેઓનું આગમ તે પ્રમાણરૂપ થઈ શકશે નહિ. આત્માની વ્યાપકતા સિદ્ધ કરવામાં ઉપમાન પ્રમાણ પણ સહાયક થઈ શકશે નહિ. કારણ કે–આત્મા અમૂર્ત હોવાથી તેને ઉપમાન આપી શકાય તેમ નથી. આવી રીતે કઈ પણ પ્રમાણથી આત્મા વ્યાપક સિદ્ધ થતું નથી. નિયાયિક મતમાં આત્માની વ્યાપકતા તે એક બાજુએ રહી, પ્રથમ આત્માની જ સિદ્ધિ ક્યાં થઈ શકે તેમ છે? આત્માની સિદ્ધિમાં જ્ઞાન વિગેરે ગુણે તે પ્રમાણુરૂપે ઉપયોગી થઈ શકે તેમ નથી, કેમકે તે જ્ઞાન વિગેરે ગુણોને તે તેઓ
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy