SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ તજ્યાખ્યાન. ૧૭૩ પર્યાયને ત્યાગ તે મરણ અને ઉત્તર પર્યાયને પ્રાપ્ત કરવા તે જન્મ. આ પર્યાયે નિત્યવાદિના મતમાં ખપુષ્પ જેવા છે. આવી રીતે ફૂટસ્થ નિત્યસ્વરૂપ આત્મા વિગેરે પદાર્થોને માન નારાઓના મતમાં જન્મ, મરણને અભાવ થવાને. અને તેના વિના સંસાર, બન્ધ, મોક્ષ વિગેરેની વ્યવસ્થાને વિનાશ થશે. હું સુખી, હું દુઃખી, હું ઘટ વિગેરેને જાણું છું.” ઈત્યાદિ અહંશબ્દવિયક પ્રતીતિ શરીરાવચ્છિન્ન આત્મામાં જ થઈ શકે છે, અન્યત્ર થતી નથી. આત્માને જે વ્યાપક માનવામાં આવે તે સર્વને સર્વ સ્થળે તેવા પ્રકારની પ્રતીતિ થવી જોઈએ. એકના સુખે અન્ય સુખી થવા જોઈએ અને એકના દુઃખથી અન્ય દુઃખી થવા જોઈએ, એકના ભોજન કરવાથી ભેજન નહિ કરનારા અન્યને પણ સુધાની શાન્તિ થવાનો પ્રસંગ આવશે. એકના સૂવા, ઉઠવા, બેસવા, ચાલવાથી અન્યને પણ તે ક્રિયાઓ કરવાને પ્રસંગ પ્રાપ્ત થશે. આવી રીતે સર્વ ક્રિયાઓમાં વ્યવહારમાં સંકરેદેષ ઉપસ્થિત થશે. અથવા આત્માને સર્વત્ર વ્યાપક માનવાથી આત્મા સર્વત્ર વ્યાપી થઈ જવાથી કાંઈ પણ કિયા થઈ શકશે નહિ. આ દોષના નિવાર ણમાં એમ કહેવામાં આવે કે શરીરની ભિન્નતા હોવાથી એ દોષ આવી શકશે નહિ.” તે પછી શા માટે આત્માને વ્યાપક માનવો? આત્માને વ્યાપક ન માનવામાં આવે તે શેિ દોષ? આત્માને સર્વથા નિત્ય માનવામાં પ્રત્યક્ષ પ્રમાણથી વિરોધ દર્શાવ્યા. અનુમાન પ્રમાણથી વિરોધ હવે બતાવવામાં આવે છે
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy