SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાખ્યાન. ઉ૦ એવી રીતે માનવામાં તે આત્મા અંશવાળ બની જવાથી આત્માના જે ભાગમાં મનને સંનિકર્ષ થશે તે ભાગ જ્ઞાનાદિગુણવાળો કહેવાશે અને બીજા ભાગમાં મનની સાથે સંનિકર્ષ નહિ હેવાથી જ્ઞાનાદિ ગુણે પણ નહિ પેદા થવાના. અને જ્ઞાનાદિ ગુણના અભાવમાં બીજો ભાગ પત્થર જે જડ બની જશે એ વાત આપને પણ અનિષ્ટ જરૂર માલૂમ પડશે. - જે ભાગમાં જ્ઞાનાદિ ગુણે નથી તે ભાગમાં આત્માના લક્ષણને નહિ ઘટવાથી વ્યાપકપણું પણ આત્મામાં આપના મત પ્રમાણે રહેશે નહિ. આ પણ દોષ જરૂર આવવાને. વળી ઈન્દિના સર્વ વિભાગમાં મન સંપૂર્ણતાથી જોડાય છે એમ કહેવામાં આવે તે ઇન્દ્રિમાં આણુરૂપતા - નહિ રહેવાથી મનમાં પણ અણુરૂપતા આવશે નહિ. આ દેષથી બચવાની ખાતર મન એક દેશથી ઈન્દ્રિયની સાથે - સંબધ્ધ થાય છે એમ કહેવામાં આવે તે મનમાં પણ દેશાદિ વિભાગ માનવાથી પરમાણુસ્વરૂપતા પણ રહેશે નહિ. - તથા આપના મતમાં ગુણ અને ગુણીને સર્વથા ભિન્ન માનવામાં આવેલ હોવાથી અને મનમાં પણ સર્વથા નિત્ય પણું હેવાથી તેની અન્દર સંગ, વિભાગ પરિમાણ વિગેરે ગુણને પણ અભાવ થવાને. અને જ્યારે મનની અન્દર સગ-વિભાગાદિ ગુણેને અભાવ થયો ત્યારે આત્માની સાથે અથવા તે ઇન્દ્રિયની સાથે સગાસંનિકઈ પણ કેવી રીતે ઘટી શકશે તથા સંનિકર્ષના અભાવે જ્ઞાન પણ કેને થવાનું
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy