SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન ૨૧૮ સંગ, વિભાગ, કિત્વ વિગેરે સંખ્યા, દ્વિ પૃથકૃત્વ વિગેરે ગુણે અનેક દ્રવ્યમાં રહેલા હોવાથી અનેક દ્રવ્યગુણ પણું એનું સાધમ્ય સમજવું. બાકીના ગુણે એક એક દ્રવ્યમાં રહે છે. રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ, સ્નેહ, સ્વભાવસિદ્ધ દ્રવત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ, ભાવના, શબ્દ-આ સોળ ગુણે સ્વાશ્રય દ્રવ્યને બીજાથી વ્યાવૃત્તિ કરાવવાવાળા હોવાથી એનું વિશેષગુણપણું સાધમ્ય સમજવું. નામ પણ એનું વિશેષગુણ આપવામાં આવે છે. સંખ્યા, પરિમાણ, પૃથસ્કવ, સંયોગ, વિભાગ, પરત્વ, અપરત્વ, ગુરૂત્વ, નૈમિત્તિક, દ્રવત્વ, વેગ-આ દશ ગુણોમાં સામાન્ય ગુણપણું સાધર્યું છે. રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શ, શબ્દમાં બાહ્ય એક એક ઈન્દ્રિયથી ગ્રહણ કરવાપણારૂપ સાધમ્યું છે. સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંયેગ, વિભાગ, પરત્વ, અપરત્વ, દ્રવત્વ, વેગ, નેહ આ દશ ગુણેમાં ચક્ષુ અને સ્પર્શ આ બે ઈન્દ્રિયથી ગ્રહણ કરવાપણું હોવાથી બેઈન્દ્રિય પ્રત્યક્ષપણું સામ્ય છે. , બુદ્ધિ, સુખ, દુઃખ, ઈછા, દ્વેષ, પ્રયત્ન આ છ ગુણોમાં માનસિક પ્રત્યક્ષ થવા પણારૂપ સાધમ્ય છે - ગુરૂત્વ, ધર્મ, અધર્મ, ભાવના આ ચાર ગુણે અતીન્દ્રિય પ્રત્યક્ષ હોવાથી તેનું તે સાધમ્ય સમજવું.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy