SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. બીજા અવય વ્યર્થ થઈ જશે. “પ્રત્યેક અવયવોમાં અવયવી રહે છે ” એમ કહેવાથી અવયની બહુલતા પ્રમાણે અવયવિની પણ બહુલતાને પ્રસંગ આવશે. “અવયવી અવયવમાં એક અંશથી રહે છે ” એવી માન્યતાથી અવયવી સાંશ બની જશે અને એથી અવયવીને નિરંશરૂપે સ્વીકાર અસત્ય ઠરશે. અવયવીને સાંશ બનાવીને અંશેને દેશથી અથવા સર્વથી ભિન્ન પક્ષ સ્વીકારવામાં અનવસ્થા દેષને પ્રસંગ આવે છે. અભિન્ન પક્ષમાં તે અંશત્વ રહી શકે નહિ. એ પ્રમાણે સર્વ યુકિત પ્રમાણથી વિચારી જોતાં બાહ્ય અર્થની સિદ્ધિ થઈ શકતી નથી. આ કારણથી સંપૂર્ણ જગત જ્ઞાન રૂપ જ છે, એમ જ્ઞાનાદ્વૈત પક્ષ માનવામાં દેષને અવકાશ રહેતું નથી. કારણ કે નીલ વિગેરે આકાર વડે સર્વને પ્રતિભાસ થાય છે, પરંતુ બાહ્ય વસ્તુને જડ રૂપ હેવાથી તેમાં પ્રતિભાસ કેવી રીતે હેઈ શકે? “ જે બાહી વસ્તુ બિલકુલ નથી તે આ ઘટ, પટ વિગેરે વસ્તુને પ્રતિભાસ શાથી થાય છે? ” એમ જે પ્રશ્ન પૂછવામાં આવે તે પ્રત્યુત્તરમાં જાણવું જોઈએ કે “વિષયના વિના પણ અનાદિ કાળની મિથ્યા વાસનાઓથી આકાશપુષ્પના પ્રતિભાસની જેમ એવી પ્રતીતિ થાય છે.” ઉપર્યુક્ત જણાવેલ યેગાચારનું કથન યુકિતયુકત કેટલે અશે છે. તે નીચેના રહસ્યને વિચારવાથી સ્વયં સમજાઈ જશે જ્ઞાનેતિ જ્ઞાનમ્' અથવા તિજ્ઞન” એટલે જેના વડે પદાર્થ જણાય તે જ્ઞાન, અથવા જાણવું તે જ્ઞાન. જ્ઞાન એ.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy