SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ તવાખ્યાન. ૧૧ ઉત્પન્ન ન થનાર, સ્થિર, એક સ્વભાવે રહેનાર વસ્તુ નિત્ય ગણાય છે. આવી રીતે નિત્યના લક્ષણથી યુકત આત્માને માનનાર નૈયાયિકને બહુ વિચાર કરવાની જરૂર છે. જીવની એક ગતિમાંથી પ્રશ્રુતિ અને બીજી ગતિમાં ઉત્પત્તિ થાય છે, જીવ એક સ્થિતિમાંથી બીજી સ્થિતિને પામે છે. જીવને એક સરખે સ્વભાવ સદા રહી શકતું નથી. આ જીવ નરક ચેનિમાંથી નીકળી મનુષ્ય થાય છે, મનુષ્ય એનિમાંથી નીકળી દેવ થાય છે, ત્યાંથી નીકળી તિર્યંચ થાય છે. બાલ્યાવસ્થામાંથી યુવાવસ્થામાં અને તેમાંથી વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કરે છે. તે જીવ અમુક વસ્તુને કર્તા, જોક્તા, સંબંધી મનાય છે. એમ આપણે વ્યવહારમાં સાક્ષાત જોતા હેવાથી ઉપર્યુક્ત નિત્યના લક્ષણથી વિરૂદ્ધ સ્વભાવવાળા તે આત્માને સર્વથા નિત્ય માની શકીએ નહિ. એ સ્વાભાવિક છે. આમ કૂટસ્થ નિત્ય માનવાથી કઈ જાતને વ્યવહાર થઈ શકશે નહિ. નિત્યનું યથાર્થ લક્ષણ આ પ્રમાણે માનવામાં આવે કે તમારા વ્યર્થ નિત્યમ” અર્થાત્ “જે પિતાના મૂળ સ્વભાવથી વ્યય ન પામે તે નિત્ય છે.” તે કઈ જાતને દેષ આવશે નહિ. આત્માના પર્યાયે ભલે બદલાયા કરે, મનુષ મરીને દેવ, દેવમાંથી નીકળી મનુષ્ય, ત્યાંથી તિયચ, નારી ભલે થયા કરે, બાલ્ય વિગેરે અવસ્થામાંથી યુવા વિગેરે અન્ય અવસ્થાઓને ભલે પ્રાપ્ત કરે, પરંતુ તે આત્માને અસલ સ્વભાવ ચેતન્ય” તે દરેક ગતિમાં અને દરેક સ્થિતિમાં અવશ્ય વિદ્યમાન હોય છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy