SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ તજ્યાખ્યાન. વસ્તુ શુદ્ધ ગણાય એવી માન્યતાને લીધે અદ્યાપિ તેઓ માંસ ખાવામાં પણ સંકેચ કરતા નથી. મનુષ્ય, અશ્વ, શ્વાન, માજર વિગેરે દશ પ્રકારના છના માંસને અપવાદ તરીકે ત્યજી બીજાં સર્વ પ્રકારનાં માંસનું તેઓ ભક્ષણ કરે છે. વર્તમાનકાળમાં કઈ કઈ તે ઉંદરના અથાણું કરી ખાવામાં પણ તેઓને ઘણા ઉપજતી નથી. માંસ ખાવાની તે તેઓની સામાન્ય પદ્ધતિ થઈ પડી છે. રંગુન, ચીન, બ્રહ્મદેશ વિગેરે દેશમાં પરિભ્રમણ કરનારાઓને એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. ત્યાં મુસાફરી કરી આવેલા મુસાફરે એ બીના આબેહુબ વર્ણવે છે. બનારસની પાસે આવેલા સારનાથ નામના સ્થળમાં એક બદ્ધરતૂપ છે. અને ત્યાંના ગુરૂકુળમાં કેટલાક બાદ્ધ ભિક્ષુઓ રહે છે. તેમના પરિચયથી પણ વિશેષ માહિતી મળી શકે છે. - તેઓ દિવસમાં એક વખત ભજન કરે છે. ત્રીજા પ્રહરમાં પાનક (શરબત, સાકર, ઠંડાઈ, ફૈટ વિગેરે) વાપરે છે. રાત્રિમાં ક્ષુધા યા તૃષા લાગે તે દ્રાક્ષ વિગેરે વાપરવામાં આવે છે. મનની ઈચ્છાનુસારે શયન, સ્થાન, ભેજનાદિ કરવાથી ધ્યાન પણ મને ભીષ્ટ થઈ શકે છે. એવી એ લોકોની માન્યતા છે. - તે લેકેને બ્રહ્મચર્ય વિગેરે પિતાની ક્રિયામાં બહુ દઢ રહેવાનું બુદ્ધદેવનું ફરમાન છે. ૧ બુદ્ધ પ્રરૂપિત ધર્મ, ૨ બુદ્ધદેવ અને ૩ સંધ (ભિક્ષુ, ઉપાસક, ઉપાસિક) એ ત્રણ વસ્તુને રત્નત્રય નામથી ઓળખવામાં આવે છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy