SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. ૧૬૩ ફકત રૂપનેજ ગ્રહણ કરતી હોવાથી, પ્રદીપની જેમ.” તેઓનું આવું કથન ઉચિત નથી. કેમકે–હીરા, માણેક, પન્ના, રત્ન વિગેરેમાં ફકત રૂપનું પ્રકાશકપણું છે, પરંતુ તૈજસ નથી. કૃતિ, મુકતાવલીની ટીકા દિનકરી વિગેરે ગ્રંથમાં સુવર્ણ, હીરા, માણેક વિગેરેને પાર્થિવ તરીકે સિદ્ધ કરેલ હોવાથી તેજસ માની શકાશે નહિ. સ્પર્શનેન્દ્રિય વાયુથી ઉત્પન્ન થાય છે, રૂપ વિગેરેમાંથી ફકત સ્પર્શને ગ્રહણ કરતી હોવાથી, પાણીમાં રહેલા શીતળસ્પર્શના અભિવ્યંજક વાયુની જેમ. ” આવું તે લોકોનું માનવું આદરણીય થઈ શકશે નહિ. કેમકે કપૂર વિગેરેથી પણ પાણીમાં રહેલ શીતળ સ્પર્શ પ્રકટ થાય છે, પરંતુ કપૂર વિગેરે પદાર્થો વાયુથી બનતા સાંભળ્યા નથી. આવી રીતે હેતુમાં વ્યભિચાર દોષ આવતું હોવાથી વ્યાપ્તિ અસિદ્ધ થવાથી સ્પર્શનેન્દ્રિયની વાયુથી ઉત્પત્તિ માનવી અયુક્ત છે. “શ્રોવેન્દ્રિય આકાશથી ઉત્પન્ન થાય છે,રૂપ વિગેરેમાંથી ફક્ત શબ્દને જ ગ્રહણ કરતી હોવાથી.” આ પ્રમાણેની નૈયામિકેની કલ્પના વિચાર કરતાં વ્યાજબી જણાતી નથી. કેમકે શબ્દ એ આકાશને ગુણ નથી, પરંતુ પુદ્ગલસ્વરૂપ છે. જે એમ માનવામાં ન આવે તે અરૂપી શબ્દથી આકાશની જેમ આઘાત-પ્રત્યાઘાત વિગેરે કાંઈ પણ થવું ન જોઈએ, છતાં થાય છે. એ આપણે સાક્ષાત જાણીએ છીએ. મેઘના ગગડાટે,
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy