SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ તત્ત્વાખ્યાન. . બાકીના ગુણનું નિરૂપણ. પુષ્પમાલા વિગેરે ઈચ્છિત પદાર્થને સમીપમાં રહેવાથી તથા ઈષ્ટ પદાર્થની ઉપલબ્ધિવિષયક ઈન્દ્રિયાર્થના સંનિકર્ષથી અને ધર્માદિની અપેક્ષા યુકત આત્મા મનના સાગથી સુખ વિષયક સંવેદન, અનુરાગ, નેત્રની પ્રસન્નતા, મુખને પ્રસાદ વિગેરેને પેદા કરાવવાવાળું જે હોય તે સુખ કહેવાય. તે સુખ અનુગ્રહસ્વભાવવાળું હોય છે; અતીત વિષયમાં સ્મૃતિથી થાય છે અને અનાગત વિષયમાં સંકલ્પથી પેદા થાય છે. દુખસ્વરૂપ. ઉપઘાતસ્વભાવવાળું હોય તે દુઃખ કહેવાય. તે પણ અનિષ્ટ પદાર્થ ઉપલબ્ધિ વિષયક ઈન્દ્રિયાથે સંબન્ધથી તથા અધર્મયુકત આત્મા મનના સંગ દ્વારા અસહિષ્ણુતા, ઉપઘાત, દીનતા, મુખમલિનતા વિગેરેને પેદા કરાવવાવાળું જે હોય તે દુઃખ સમજવું. ઈચ્છા સ્વરૂપ. - પિતાને માટે યા પરને માટે અપ્રાપ્ત વસ્તુની જે પ્રાર્થના તેનું નામ ઈચ્છા. તે પણ આત્મા મનના સાગથી તથા સુખ સ્મૃતિ વિગેરેની અપેક્ષાથી ઉત્પન્ન થાય છે. તે ઈચ્છા પણ સ્મૃતિ પ્રયત્ન ધર્માધર્મ વિગેરેનું કારણ રૂપ છે. કામ, અભિલાષા, રાગ, સંકલ્પ, કારૂણ્ય, વૈરાગ્ય, ઉપધા, ભાવ વિગેરે ઇચ્છાના ભેદ સમજવા. મૈથુનની ઈચ્છા કામ કહેવાયભોજનની
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy