SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ તજ્યાખ્યાન. છળના ત્રણ ભેદ છે. જુદા અભિપ્રાયથી કહેલા વચનને પિતાને અનુકૂળ કલ્પનાથી જૂદા અર્થમાં ઉતારી વાદિને પરાસ્ત કરે તે વાકછળ કહેવાય છે. જેમકે –“નવી કામળ વાળે આ માણસ છે ”એવા આશયથી નીકળેલ “નવલqોડામ” એવા વાકયને વચનછળ કરનાર વાદી આવા અર્થમાં ઉતારે કે–આ મનુષ્ય ૯ નવ કામળ વાળે કયાંથી હોય ? જેને એક કામળ રાખવાની શકિત ન હોય તેની પાસે નવ કામળ છે. એમ કેમ માની શકાય? સંભાવનાથી અતિપ્રસંગવાળા સામાન્ય ઉપન્યાસમાં હેતુપણું આરોપણ કર્યા પછી એને જે નિષેધ કરે તે સામાન્ય છળ કહેવાય છે. જેમકે “ ! વેનૌ ત્રાધો વિધવારકાઃ ” ભાવાર્થ–આશ્ચર્ય છે કે આ બ્રાહ્મણ વિદ્યાચરણ યુક્ત છે. બ્રાહ્મણની સ્તુતિના પ્રસંગથી બેલવામાં આવેલા આ વાકયને સામાન્ય છળ કરનાર એમ ફેરવી નાખે કે–જે વિદ્યા અને આચરણ યુકત હોવાથી એને બ્રાહ્મણ કહેવામાં આવે, તે (વિદ્યાચરણ યુક્ત) શુદ્રને પણ બ્રાહ્મણ કહે જોઈએ. ગણ–ઔપચારિક પ્રગમાં મુખ્ય અર્થની કલ્પના કરી ઉપચારને નિષેધ કરે તે ઉપચાર છળ કહેવાય છે. જેમકે–ખાટલામાં માણસના પ્રયત્ન દ્વારા થતા શબ્દોને સાંભળી કેઈએ કહ્યું કે-સંવાદ દોરાનિત ' માંચડા-ખાટ લા અવાજ કરે છે. ત્યારે ઉપચાર છળ કરનાર એમ કહે કેમાંચા કયાંથી શબ્દ કરી શકે? કેમકે તે તે જડ છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy