________________
૩૮
કલામૃત ભાગ-૫ ચિદૂલોક, છે ચિલોકો મારી હયાતી ચિલોક ઈ હું છું. આહાહા...! એકલા જ્ઞાનસ્વભાવ(ની) મુખ્યતાથી વાત કરી પણ જ્ઞાન આદિ અનંત વિદ્યમાન સ્વભાવ છે) તે મારો લોક છે. આ..હા...હા...! અહીં તો એક સમયની પર્યાય પણ કાઢી નાખી. કારણ કે પર્યાય પોતે નિર્ણય કરે છે ને ? નિર્ણય આનો (કરે છે). આ વિદ્યમાન ધ્રુવ ચિદૂલોક એ હું, એ મારો લોક (છે). એમ પર્યાય નિર્ણય કરે છે. ધ્રુવમાં તો નિર્ણય છે નહિ. આ.હા..હા..!
“(તદ્-પ૨:)' તેનાથી અન્ય જે કાંઈ...” શરીર, વાણી, મન, કર્મ, સ્ત્રી, કુટુંબ-પરિવાર, સગાવ્હાલા... એ ‘(કપર:)' (અર્થાતુ) મારી ચીજથી ‘(કપર:)' બીજી ચીજ છે. આહા..હા..! એ મારી ચીજ નથી, એ મારામાં નથી. આ..હા..હા...! “અન્ય ચે કાંઈ છે ઈહલોક, પરલોક, – વિવરણ : ઈહલોક અર્થાત્ વર્તમાન પર્યાય,” એટલે શરીર, તે વિષે એવી ચિંતા કે પર્યાય પર્યન્ત સામગ્રી રહેશે કે નહિ રહે;” શું કહે છે ? આ લોકનો ભય એટલે આ શરીર. શરીર જ્યાં સુધી છે ત્યાં સુધી આ બધી સગવડતા રહેશે કે નહિ ? મકાનની, સૂવાની, ખાવા-પીવાની, સ્ત્રી, કુટુંબની સેવા કરનારની, શરીર રહેશે ત્યાં સુધી આ સામગ્રી રહેશે કે નહિ ? આહા...હા...! પણ ધર્મી તો શરીર જ પોતાનું માનતો નથી પછી સામગ્રી રહેશે કે નહિ એ વાત જ ક્યાં રહે છે) ? ભાઈ ! મૂળમાં ઘાની વાત છે અહીં !
પર્યાય પર્યન્ત' (અર્થાતુ) શરીર જ્યાં સુધી રહેશે (ત્યાં સુધી). આ...હા...! ક્યારે કાળ આવશે ? કેવો આવશે ? શરીર રહેશે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ મકાન, ખાવાપીવાની સેવાચાકરી કરે) એવા માણસો રહેશે કે નહિ ? એવો ભય મિથ્યાષ્ટિને હોય છે. શરીરને પોતાનું માને તેને આવો ભય હોય છે. આહાહા...! એ ઈહલોક (છે). આત્માના લોકમાં ઈહલોક છે નહિ. આહા..હા...! સમજાણું કાંઈ ? અરે...! આવી વાત !
આલોકની વ્યાખ્યા કરી – “વર્તમાન પર્યાય...” ઈહલોકનો ભય જ્ઞાનીને નથી. કેમ ? કે, એ લોક મારાથી ભિન્ન છે. એ મારી ચીજ નથી. આ..હા...! શરીર જ મારી ચીજ નથી પછી શરીર રહે ત્યાં સુધી સગવડતા રહેશે કે નહિ ? (એ) પ્રશ્ન જ ક્યાં છે? આહા...હા...! અત્યારે એમ કહે કે, જુવાની અવસ્થામાં બધું કરી લઈએ, રળી-બળીને પૈસા-બૈસા ભેગા કરી લઈએ) પછી વૃદ્ધાવસ્થા આવે તો (કામ આવે). પણ ઈ શરીર જ તારું નથી, (ઈ) તું નથી. એની અવસ્થા ને સગવડતા રહે કે નહિ, એ તો શરીરને માટે છે. તારે માટે કંઈ છે જ નહિ. આહા..હા..!
એકવાર એક ભાઈ) વઢવાણ (માં) બોલ્યા હતા. (સંવત) ૧૯૯૯ની સાલની વાત છે. (ઈ ભાઈ) તો અભ્યાસી હતા. બહુ માણસ ! “વઢવાણ' ! દરિયાપરિયાના અપાસરે ! વ્યાખ્યાનમાં)ત્રણ-ત્રણ હજાર માણસ ! અપાસરામાં માય નહિ, સામે ધર્મશાળા (હતી) ત્યાં ઉતર્યા હતા. એ ભાઈ) ત્યાં કેમ્પમાં આવ્યા હતા. તે દિએવું કાંઈક બોલ્યા હતા કે, અત્યારે થોડું રળી લઈએ તો.