________________
૪૮
સબોધ યાને ધર્મનું સ્વરૂપ વાચકે ! યાદ રાખજો કે ખુશામત કરનારા કે ખોટી વાહવાહ કરનારા મલી જશે પણ આપણા જ હિત માટે ભૂલે બતાવીને હિતકર કડો ઉપદેશ આપીને આપણને સંસ્કારી બનાવવાવાળા દુર્લભ છે. માટે જ કહ્યું છે કે અપ્રિય પણ હિતકર વચનને સાંભળનારા અને કહેનારા દુર્લભ છે.
હિતકર વાણી (સાચી શિખામણ) કહેવાની ભાવના વાળાઓમાં પણ ઘણાને કડક શબ્દોમાં કહેવાને વખત આવે તો સામી વ્યકિતને ખોટું લાગશે તે? અથવા મને કાંઇક નુકશાન થશે તે? આવા અનેક કારણો સર કહી શકતા નથી. બહુ ઓછા છે આવી વાણી સાંભળી શકે છે. આવી વાણી સાંભળવાનો વખત આવે ત્યારે માણસે પિતાનું અપમાન થયું છે, વ્યક્તિત્વ ઘવાયું છે એમ માનીને તે. વાણી સાંભળી શકતા નથી. આ એક જાતની માનસિક નબળાઈ અહંકારાદિ દોષોને આભારી છે.
| હિતશિક્ષા આપનાર કલ્યાણ મિત્ર છે. ઘણા માણસે પિતાને શિખામણ કે ભૂલ બદલ ઠપકો આપનાર હિતેચ્છ કે વડિલ વગેરેને મારા શત્રુ છે એમ માનવા લાગે છે. અહંકારથી વિવેકરૂપી ચક્ષુ બિડાઈ જવાથી તે સત્યને જોઈ શકતા નથી.
જે અહંકાર જાય અને વિવેક રૂપી ચક્ષુ ખુલે તે શિખામણ આપનાર કે ભૂલ બદલ ઠપકો આપનારા વડિલ વગેરે કલ્યાણ મિત્ર લાગે. જેને સાચી લાગણી હોય તે