________________
ખંડ : ૨ જ
૨૬૯:
સલાહ આપવામાં આવે છે ત્યારે તે કરૂણા હૃદયે જવાબ આપે છે તે ખરેખર વધક ને સચોટ રીતે સ કોઇને માદક છે. તેઓ કહે છે. બસ કરો, ખસ કરે. નાગને બદલે મને જ ભસ્મ કરી દેવામાં આવે તો શે વાંધા છે ? અરે બિચારા નાગે શે! અપરાધ કર્યો કે તેને જીવતા જલાવી મુકવામાં આવે ?
આંખમાં આંસુ સાથે પરચુર શાસ્ત્રી ફરી ગદ્ગદ્ સ્વરે બોલ્યા. ગયા જન્મમાં મે કેવાં પાપ કર્યા હશે. બીજા જીવાને સતાવ્યા હશે તેનુ ફળ આજે હું આ રીતે ભોગવી રહ્યો છુ અને જો આ જન્મમાં પણ કોઈ નિરપરાધી જવને હુ સત્તાવું તે આવતાં ભવામાં મારે કેટલુ એ ભોગવવું પડે, કોઇ નિર્દોષ જીવને મારવાને બદલે હું પોતે જ મળીને ખાખ થઈ જાઉં તો ઘણું સારૂ, ભારતીય સંસ્કૃતિમાં પોતે હસતે મુખે પ્રાણાની આહુતિ આપે, પોતાના જીવન ખાતર કોઈ પણ નિર્દોષ અશરણ, કે મુંગા જીવની હત્યા જે કદીયે ન કરે, ન કરવા દે, જ્યારે આજે આપણે શું જોઈ રહ્યા છીએ ? કેવળ મેાજશેખ, એશઆરામને ક્ષણિક સુખ આસ્વાદની ખાતર ભારતભૂમિમાં લાખો-કરોડો જીવાની ક્રૂરપણે હત્યા થઇ રહી છે. પશુથી માંડીને માનવ જેવા પ્રાણીની પણ કરપણે હત્યા થઇ રહી છે.
આજના ભણેલા ગણેલા તથા પાતાની જાતને સજ્જન તથા સુધરેલો ગણાવતા માનવ શરમાતા નથી તે કેવી શરમ.