________________
૩૩૭
ખંડ : ૨ જે
થોડી વારે મુનિવરે ધ્યાન પુરૂં કર્યું. અને કમળ પાંખડી જેવા મહર નયને ખુલ્લા કર્યા. તે વખતે બે હાથ જોડીને ઉભેલા શ્રેણીક તેમને જોવામાં આવ્યા, એટલે તેમણે સાધુ ઘર્મને યોગ્ય ધર્મલાભ” ઉચ્ચાર્યો.
એ ધર્મલાભ આપવા બદલ શ્રેણીક રાજાએ પિતાનું મસ્તક નમાવીને કૃતજ્ઞતા પ્રગટ કરી. પછી વિનય પૂર્વક પૂછયું : “હે મુનિવર ! જે આપની સાધનામાં કઈ રીતે વિન આવતું ન હોય તે હું એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા રાખુ છું . | મુનિવરે કહ્યું, “રાજન ! વાત બે પ્રકારની હોય છે. એક સદોષ અને બીજી નિર્દોષ
ભક્તકથા, સ્ત્રીકથા, દેશકથા અને રાજકથા. એ સદેષ વાત છે. આવી વાતમાં મુનિઓ પડતા નથી. પરંતુ જે વાતથી જ્ઞાનની વૃદ્ધિ થાય, શ્રદ્ધાની પુષ્ટિ થાય, સદાચારને વિકાસ થાય તેવી વાત નિર્દોષ છે. આવી વાત મુનિઓની સાધનામાં બાધક થતી નથી. આટલું લક્ષમાં રાખીને તમારે જે વાત કરવી હોય તે કરી શકો છો.”
મગધરાજે કહ્યું, “હે પૂજ્ય ! હું એટલું જાણવા ઈચ્છું છું કે આવી તરૂણ અવસ્થામાં ભેગ ભેગવવાને બદલે આપે સંયમને માર્ગ શા માટે ગ્રડણ કર્યો ? એવું કયું પ્રબળ પ્રયજન આપને આ ત્યાગમાર્ગ તરફ દોરી ગયું ?” " મુનિરાજે કહ્યું, “હે રાજન ! હું અનાથ હતા, મારે કોઈ સ. ૨૨