________________
૩૩૮
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ નાથ ન હતું એટલે આ સંયમમાગ ગ્રહણ કર્યો છે? આ ઉત્તરથી મગધરાજને આશ્ચર્ય થયું. તેમણે કહ્યું “આપ જેવા પ્રભાવશાળી પુરૂષને કેઈ નાથ ન મલે એ તે ભારે અજાયબી કહેવાય. જે આપે એટલાજ માટે સંયમમાર્ગ સ્વીકાર્યો હોય તે હું આપને નાથ થવા તૈયાર છું. તે આપ મારા રાજમહેલમાં પધારે ને ત્યાં સુધી દિવસે નિર્ગમન કરો.”
મગધરાજના આ શબ્દો સાંભળી મુનિવરના મુખ પર એક આખું સ્મિત ફરકી ગયું. તેમણે કહ્યું: “હે રાજન ! પિતાના અધિકારવાળી વસ્તુઓ બીજાને આપી શકાય છે. ચંદ્રમાં ના છે. તેથી તે બીજાને અપાય છે. નદીઓમાં જલ છે તેથી તે બીજાને આપી શકે છે. અને વૃક્ષે પર ફળ હોય તેથી તે બીજાને કામમાં આવે છે. પણ ચંદ્ર ઉષ્ણતાને આપી શકતે નથી સૂર્ય શિતળતાને આપી શકતું નથી. નદીઓ ફળ આપી શકતી નથી અને વૃક્ષે જળને આપી શકતા નથી કારણ કે તે વસ્તુઓ તેમની પાસે નથી તેમ “હે રાજન ! નાથ થવું એ તારા અધિકારમાં નથી તેથી તું મારો નાથ થઈ શકો નથી. તું પિતે જ અનાથ છે!
આ શબ્દો સાંભળતાં જ મગધરાજ ચમક્યા. આવા શબ્દો આજ સુધી તેમને કેઈએ કહ્યા ન હતા. તેમણે પિતાના ઘવાયેલા અભિમાનને ઠીક કરતાં કહ્યું : “હે આર્ય! આપની વાત પરથી લાગે છે કે આપે મને