________________
અંડ : ૨ જો
૩૪૧
• હું રાજન્ ! એવામાં મારી એક આંખ દુઃખવા આવી, સુજી ગઇ અને તેમાંથી અતુલ પીડા ઉત્પન્ન થઈ. આ વેદનાને લીધે મને મુદ્દલ ઊ'ધ આવતી નહી. જલ વિના જેમ માછલી તરફડે તેમ આ વેદનાથી હું તરફડવા લાગ્યા.
આ વેદનામાંથી મને દાહુવર લાગુ પડયા. મસ્તક ફાટવા લાગ્યું, છાતીમાં દુઃખાવો ઉપડયો અને કમ્મરના કટકા થવા લાગ્યા. એ દુઃખનુ વર્ણન હું કરી શકતા નથી. મારી આ સ્થિતિ જોઇને જુદા જુદા પ્રકારના કુશળ વેદ્યોને લાવવામાં આવ્યા. તેમણે ભેગા મળીને રોગનું નિદાન કર્યું. પછી ચાર પ્રકારની ચિકિત્સાના પ્રયાગ કર્યો. અને અનેક પ્રકારના કિમતિ ઔષધોના આશ્રય લીધે. તેએ મને દુઃખમાંથી છોડાવી ન શકયા. હે રાજન્ ! એજ મારી અનાથતા !
(
વૈદ્યોને નિષ્ફળ જતાં મારા પિતાએ બીજા પણ અનેક ઉપચારા કરાવી જોયા અને તેમાં ઘણુ' દ્રવ્ય ખચ્યું. વળી તેમણે એવી જાહેરાત કરી કે જે કોઈ મંત્ર-તંત્રવાદી મારા પુત્રને સાજો કરશે, તેને મારી અધી મિલ્ક્સ આપી ઇશ.' તેમ છતાં તેઓ મને દુ:ખમાંથી છોડાવી શક્યા નહી. હે રાજન ! એજ મારી અનાથતા !’
મારી માતા મારા પ્રત્યે ભારે વાત્સલ્ય દાખવતી હતી. તે મને આંખની કીકી જેવા માનતી હતી. મારી આ સ્થિતિ જોઇને તે આછી આછી થઈ જતી હતી. અને