________________
૪૧૪
સબધ યાને ધર્મનું સ્વરૂપ શેષણ કરે છે, તેમ દુર્જન એ સજજન કુમારથી શ્રીમંત બનવા છતાંય તે કુમારના છિદ્રો જોવામાં જ તન્મય રહે. કુમારને આછું આછું ભાન થયું કે – “સજજન મારૂં પ્રતિકુળ કરવામાં જ રાજી છે.” આમ છતાં દાક્ષિણ્ય ગુણોથી કુમાર તેને તરછેડતે નહિ. સજ્જનેનું કર્તવ્ય આ જ હોઈ શકે. અને તે લલિતાગે શાનદાર ઝળકાવ્યું.
એક વખતે રાજાએ હર્ષથી પોતાના પુત્રને મહામૂલ્ય - રત્નાહાર આદિ આભૂષણે આપ્યાં. પણ રાજપુત્ર રાજમહેલથી બહાર નીકળે ત્યારે એક યાચકે તેજ અલંકારોની યાચના કરી. કોઈની પણ યાચનાને ભંગ એ મહાન પુરૂષ માટે દુઃખકર હોય છે. તેમાં આ રાજકુમાર દાન આપવામાં ક્યારેય પણ પાછું વળી જેત ન હતા. આથી રાજપુત્રે હસતાં વદને તે આભૂષણો દાનમાં આપી દીધાં. સજજને આ હકીકત જાણી. એટલે તે રાજા પાસે ગયે. અને રાજાને કુમારના આજના વર્તન અંગે ઝેર પીરસ્યું. આથી રાજાના હૃદયમાં ભારે વિષાદ ઉપ. કે- “શું આવી મહામૂલ્ય વસ્તુઓ આમ ફેંકી દેવાની? રાજા ઘણે ગુસ્સે થે. આથી લલિતાગના મનમાં અનેક વિચાર–તરંગો ઉડતાં. દાનવ્રતને સ્વીકાર કરીને, તેમાં ન્યૂનતા એ તે મારા ધર્મને માટે અયોગ્ય છે. આથી તેણે નિશ્ચય કર્યો કે- “અહિંથી મારે દેશાન્તર જવું. ખેર ! દેશાટન એ તે ચતુરતાનું દ્વાર છે, પુણ્યની પરીક્ષાને પ્રસ્તાવ છે. અને સાહસિકતા