________________
૪૨૨
સધ યાને ધર્મનું સ્વરૂપ તમને વટવૃક્ષની છાયામાં મૂકીને આગળ જતાં ચેરેએ મને લુંટ. અને ઘણી આજીજીથી જીવતે મૂકે. આપે મારા ઉપર ઉપકારને મેઘ વરસાવ્ય” સજ્જનની આ વાત કરવાની ઢબમાં કેવળ મુત્સદ્દીપણું હતું. અને દંભથી તેનું હૃદય તરબળ હતું. સજજન તે કેવળ લલિતાંગકુમારને ઠગવાની જ મેલી રમતા ખેલવાને સજજ થયે હતો.
એક સમયે અવસર જોઈને દક્ષ એવી રાજકુમારીએ પિતાના પતિ લલિતાંગકુમારને નમ્રભાવે અને મમતાથી જણાવ્યું કે હે સ્વામિન્ સ્ત્રીઓ તે અબળા છે. હું મતિમન્દ દાસી છું. પણ મને લાગે છે કે આ સજજનને તમે વિશ્વાસુ તરીકે રાખે છે, પરંતુ સ્વભાવથી આ દુર્જન અને વિશ્વાસઘાતી જણાય છે. તથા આની સંગતિ અનિષ્ટ છે. સપને પયપાન વિષવર્ધક જ બને છે. એ ભૂલવા જેવું નથી.” પુષ્પાવતીના કહેવાથી કુમારે તેની સંગતિ ઓછી કરી, પણ દાક્ષિણ્યતાથી તેને સમૂળ ત્યાગ તે કરી ન શકે.
રાજા જીતશત્રુએ એક સમયે સજજનને પૂછ્યું કેતમારે અને લલિતાંગકુમારને પરસ્પર પ્રીતિનું શું કારણ? કુમારને દેશ, જાતિ, કુળ, પિતા, માતા વગેરે તમે જાણતા હો તે જણાવે. તમે ક્યાંથી અહીં આવ્યા છે?
જેમ ગંગાના નિર્મળ નીરમાં સ્નાન કરવા છતાય કાગડાઓ ધળા ન જ થાય તેમ સજ્જનના ઉપર કુમારે અસાધારણ ઉપકારને મેઘ વર્ષાવ્યો, પણ તે પિતાની અધમ