________________
૪૦૨
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ જીવને સુખનું કારણ પૂર્વે કરેલું પુણ્ય છે અને દુઃખનું કારણ પૂર્વે કરેલું પાપ છે. આ વાત પણ સંદેડ વિનાની છે. “ઉદયમાં આવતા શુભ અને અશુભ પરિણામને નથી તે સુ-અસુર રેકી શકતા નથી તે નરવીર રોકી શકતા, અને નથી તે બુદ્ધિમાને કે બલવાને રેકી શક્તા ! અર્થાત્ ઉદયમાં આવતા શુભાશુભ કર્મપરિણામને જગતને કેઈજ પ્રાણી રોકી શકતું નથી.” અશુભ કર્મને તીવ્ર ઉદય ભલભલા આત્માઓની પણ દુર્દશા કરે છે. કયા સમયે કયા આત્માનું કેવું પતન થશે તે કહી શકાય નહિ! સંસાર વિચિત્ર છે. કારણ કે શુભપુદ્ગલે ક્ષણવારમાં અશુભ પણ થઈ જાય છે. અને અશુભ પુદ્ગલે ક્ષણવારમાં શુભ પણ થઈ જાય છે.
-- જૈન એટલે શ્રી જિનેશ્વર
ભગવંતના શાસનને માનનારે –
જૈનદર્શનમાં વાણી સ્વાતન્ત્રય નથી. પણ પારતન્ય છે. વાણી સ્વાતંત્ર્યના સ્વામિ કેવળીશ્રી કેવળજ્ઞાની વીતરાગ તીર્થંકર પરમાત્મા જ છે. પૂ. આચાર્યોને પણ સ્વતંત્ર નથી કહેવાનું, પણ શ્રી પરમાત્માએ પ્રકાશેલું જ કહેવાનું છે.
શ્રી જિનશાસન એમ કદીજ કહેતું નથી કે મારો ભક્ત કે મારે અનુયાયી ગમે તેમ વિચારે, ગમે તેમ બેલે કે ગમે તેમ ચાલે. તે પણ મારા અનુયાયી તરીકે રહી શકે
યથેચ્છ વર્તવું, યથેચ્છ ભાષણ કરવું (બલવું) અને