________________
ખંડ : ૨ જ
૩૭૯ હૃદયને સ્વચ્છ રાખી જ્ઞાન અને દર્શનની આરાધના કેવી રીતે કરવી તે સમજવું.
(૪) પરમપદની પ્રાપ્તિ માટેના પુરૂષાર્થમાં કેવા પ્રકારના સદાચાર, સંસ્કાર અને શ્રદ્ધા વડે જીવતરનું ઘડતર કરવું.
(૫) જીવ અને કર્મના સ્વરૂપ સમજીને આઠ કર્મોનું રહસ્ય સમજવું.
(૬) પરમપદ મોક્ષના સુખને-આનંદને અને તેના સ્વરૂપને ખ્યાલ કરે.
(૭) સર્વ ત્યાગના માર્ગે કદમ માંડ્યા વગર અને પંચ-મહાવ્રતના પાલન વગર જન્મ, મરણ અને જરા પર વિન્ય પ્રાપ્ત કરવાને પુરૂષાર્થ કામયાબ થઈ શક્તા નથી.
બુદ્ધિવંત માણસેએ આચરણ એવું રાખવું જોઈએ અને કાર્ય એવાં કરવાં જોઈએ કે જેના પરિણામે પરમપદની પ્રાપ્તિ થાય. શાશ્વત સુખ સમાન પરમપદ મુક્તિ સિવાય, અન્ય ક્યાંય નથી. મુક્તિને મંગલસ્થાને પહોંચવા માટે સંસારનો ત્યાગ કરી ભગવતી દીક્ષાનું વ્રત અંગિકાર કરવું જરૂરી છે. કારણ કે રત્નત્રયની આરાધનાને એ મંગલમય માર્ગ છે. સર્વ ત્યાગને માર્ગ એટલે સર્વ સાવદ્ય યુગને ત્યાગ. આવું વ્રત પાલન કરવાથી પરમપદ મળે છે. આ સૃષ્ટિ એનું સર્જન કરતી જ રહે છે. માનવી એના મનને કલ્પનામાં વહાવતે રહે છે. એ કલ્પનાની કૃતિ જ્યારે