________________
૨૮૮
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ પાસેથી એને મલી ગઈ છે. એનું આખું ય જીવન હવે પલટાઈ જાય છે.
–: અજબ અસર :– એકશિલા નગરીમાં જયતાક ઓઢર નામના એક ગૃહસ્થને ત્યાં રહેવા લાગે. ખાવું, પીવું અને ઘરનું કામ કરવું. માંસ, મદિરા જેવી અભક્ષ્ય ચીજો પણ બંધ કરી દીધી. કૃર મુખ દિવસે દિવસે શાંત બનતું જાય છે. રૌદ્ર સ્વરૂપ સૌમ્ય બનતું જાય છે. એક જ વખત થયેલ સદ્ગુરૂને સંગ કેટલે જીવન પલ્ટો કરાવી શકે છે? જ્યારે આપણે તે વારંવાર સદ્ગુરૂઓના સમાગમમાં આવ્યા છીએ છતાં ય પરિવર્તન થાય છે ખરું? પલ્લી પતિ પામી જાય અને આપણે, એ તે જરા વિચારણીય ખરૂં જ!
- કૃતજ્ઞતા મહાગુણ:એક વખત યશોભદ્રસૂરીશ્વરજી મહારાજ એક ગામમાં પધાર્યા છે. જ્યતાને જાણ થતાં જ તે તે ગુરૂની પાસે જઈ તેમની સેવા સુશ્રષામાં લાગી ગયે.
એક વખત જ્યતાને ઓઢર શ્રેષ્ઠીએ પૂછયું, “ભાઈ હમણાં તું આ દિવસ ક્યાં વીતાવે છે?” જ્યતાને કહ્યું,
મારા ગુરૂ યશોભદ્રસૂરિજી આ નગરમાં પધાર્યા છે. તા. અને ત્યાગની મૂર્તિ સમા એ મારા ગુરૂની સેવામાં હું દિવસ વીતાવું છું”
ગુરૂએ એને શું આપ્યું છે? પણ કૃતજ્ઞતાને મહા ગુણ જયતાકમાં જાગતું હતું, પોતાને પાપથી નિવૃત્ત કરનાર,