________________
૨૯૩
બંડ : ૨ જે નહિ અને કરતો હોય તેને અનુમોદના પણ આપે નહી કારણ— કરણ કરાવણને અનુમોદન,સરીખા ફી નીપજાયે”
આ ઉત્તમ સાધુધર્મ ખરેખર ! વંદનીય છે. આવા ઉત્તમ ધર્મને પામી આત્મા અનંત સુખને ભક્તા બની શકે છે. ઓઢરની શ્રદ્ધા વધુ મજબુત બની. સાચા ત્યાગીને સૌ કઈ ભાવથી નમે.
‘ગુરૂદેવ ! આપને ત્યાગ માર્ગ બહુ ઉચ્ચ કેટિને છે. આપ પણ બહુ જ ઉચ્ચ કોટિએ પહોંચ્યા છે. પણ મારા ઉદ્ધારના માટે કેઈક ઉપાય બતાવ. ઓઢર શ્રાવકે આચાર્યશ્રીને ફરી વિનંતિ કરી
– નૃતન ચેત્ય નિર્માણ – આચાર્ય યશોભદ્રસૂરિજીએ જણાવ્યું “મહાનુભાવ ! જે તમને ધર્મ ઉપર શ્રદ્ધા હોય, ચંચળ લક્ષમીને સદુપયેગ કરવાની ભાવના હોય તે એક જિનપ્રસાદ બંધાવવામાં ચંચળ લક્ષ્મીને સદુપયોગ કરે જોઈએ. સંસારના કાર્યો પાછળ ધન વ્યય કરનાર સાચી આત્મશક્તિને મેળવી શકતું નથી. તમારી ભાવના હોય તે આ માર્ગ ઉચ્ચ કોટિને છે.”
પુણ્યશાળી ઓઢરે ગુરુવચન અંગીકાર કરી નવીન જિનાલય નિર્માણ કરવાનું કામ પ્રારંભી દીધું. અને આચા“શ્રીના વરદ હસ્તે એ જિનાલયની પ્રતિષ્ઠા પણ થઈ ગઈ ઓઢર શ્રાવક ભાવ-ભક્તિથી જિનપૂજા કરી રહ્યો છે.