________________
૩૦૪
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ લીધે કામવાસના પણ તેમનામાં તીવ્રપણે વૃદ્ધિને પામતી. જાય છે. મંદિષેણ મુનિને એ વાતને પણ મનમાં પુરેપુરો ખ્યાલ છે કે ભગવાને નિષેધ કર્યો છતાં મેં સંયમ અંગીકાર કર્યો છે. એટલે કામવાસના ઉપર વિજય મેળવવા બનતા બધા જ પ્રયાસ કરે છે. એમણે દઢ નિરધાર કર્યો છે કે મેં અંગીકાર કરેલા વ્રતને ભંગ નહિ થ જોઈએ છતાં કર્મોદય વસ્તુ એવી છે કે કેટલીકવાર ભલભલાના દહ નિરધારને પણ નિરાધાર બનાવી દે છે.
નાદિષેણ ઉગ્રપણે તપ તે તપી જ રહ્યા છે. પણ લીધેલા વ્રતને ભંગ ન થે જોઈએ તે માટે આત્મઘાત કરી વાના પણ તેમણે અનેક પ્રયાસ કર્યા પણ એ બધા પ્રયાસને શાસનદેવતાએ નિષ્ફળ બનાવી દીધા ! -: આત્મઘાત એ દુઃખ-મુક્તિને ઉપાય નથી -
એકવાર તો પર્વત ઉપરથી ઝંપાપાત કરવાનો પ્રયાસ કર્યો. શાસનદેવે તેમને અદ્ધરથી ઝીલી લીધા અને કહ્યું કે હે મુનિ ! આ પ્રમાણે આત્મઘાત કરવાથી શું નિકાચિત કર્મોને ક્ષય થશે ? કેઈ કાળે નહિ થાય. માટે આવા વિચારોથી નિવૃત્ત થાઓ. આત્મઘાત એ કર્મ ક્ષયને ઉપાય નથી. ઉદયમાં આવેલા ભેગાવલી કમેં તીર્થકર જેવા મહાપુરૂષને પણ ભેગવવા પડ્યા છે. કેટલાક નિકાચિત કર્મો એવા હોય છે કે જેને ભગવટો કર્યા વિના તે કમેને ક્ષય થતો નથી. આત્મઘાત કરવાથી તે ઉલટા નવા. કર્મો બંધાય છે. આત્મઘાત એ છુટવાને ઉપાય નથી.. આત્મઘાત એ દુઃખ–મુક્તિને ઉપાય નથી.