________________
ખંડ : ૧ લા
૧૫૦ ગમે તેમ કહેતા હોય કે ગમે તેમ કરતે હેય તે માન્ય કરી લેવું એમ ધર્મ કહેતો નથી. કેઈનું બુરું કરવું નહિ અને કેઈનું ખરાબ ઈચ્છવું નહિએ ધર્મને ઉદ્દેશ છે. આમ તે જનાવર પાછળ પડે તેનાથી બચવા આડા અવળા થઈ જાઓ તે બચી શકાય પણ કાળા માથાને માનવી પાછળ પડી ગયો છે તેનાથી બચવા મુશ્કેલ થઈ પડશે.
કાળા માથાને માનવી શું ન કરે ? એ કહેવતને ઉપયોગ પૈસા કમાવા કે અવળા માર્ગે ન કરતાં આત્માની દબાઈ ગયેલી અનંત શક્તિઓને પ્રગટ કરવા માટે કરે એ જ ઈષ્ટ છે. ધર્મ એ કઈ રસ્તે પડેલી ચીજ નથી, જીવનમાં ધર્મ એજ સારભૂત છે. છતાં આજ તે પિતાની જાતને ધર્મથી પણ વધારે માનનારા પિતાની વાહ-વાહ ખાતર કાંઈ કરવાની ભાવના વધતી જ જાય છે. આ વર્તમાન કાળના વિચારને આભારી છે. સાચું શિક્ષણ તેજ જીવનનું દર્શન કરાવે. ખાનપાન માટે જીંદગી નથી. જીંદગીને ટકાવવા માટે ખાનપાન છે. આ દેહ તે લીવ એન્ડ લાયસન્સ વાળું મકાન છે. જતી વખતે સાથે કંઈજ લઈ જવાનું નથી. તે વિચાર કરજે કે હું જીવી રહ્યો છું તે તેને માટે ? આત્મા માટે ? જે આત્મા માટે જીંદગી હેાય તે પછી આત્માને ભવાંતરમાં સારૂં મેલે તેવું કંઈ કરી લેવાની ઈચ્છા થાય છે ખરી કે
નહિ ? રાત્રે જકાત ચોકને ટાળવા માટે આડે રસ્તે અથડાયેલે - ગાડીવાળે સવારે ચેકીની સામે આવી રહે છે. એવી જ રીતે દુઃખને નિવારવા માટે કરવામાં આવેલા આંધળા પ્રયાસ કમનશીબે ઘણીવાર નિષ્ફળ નીવડે છે.