________________
"૧૭૨
સધ યાને ધર્મનું સ્વરૂપ બંનેય જણ સુરમંદિરેએ ગયા. ત્યાં કંદ-મુકુંદ અને રૂદ્ર આદિ દેવતાઓને દીઠા અને એ દેવતાઓની તેમણે પૂજા કરી. આ રીતિએ અત્યાત્ય મંદિરનું અવલોકન કરતે કરતે જ્યાં સધ્યા સમય થવા પામ્યો એટલે વિદ્યાસિદ્ધ ગંભદ્રને કહ્યું કે ભદ્ર! આપણે ગંગા કિનારે જઈએ અને -ત્યાં જઈ ગંગા નદીમાં સ્નાન કરીને આપણે આપણા આત્માને પાપ રહિત બનાવીએ. ગેમ તરત જ સમ્મતિ દર્શાવી, વિદ્યાસિદ્ધ અને ગભદ્ર બન્ને જણા સંગા કિનારે આવી પહોંચ્યાં. ગંગા તટે આવી પહોચ્યાં પછીથી તરત જ વિવાસિદ્ધ પુરૂષે ગંગા નદીના જળમાં પેસવાની તૈયારી કરવા માંડી. એ વખતે આવી પડનારી આફતની કલ્પના કર્યા વિના અને વસ્તુના પરમાર્થનો વિચાર કર્યા વિના જ, વિદ્યાસિદ્ધ પુરૂ : અતિ રભ પણાથી પિતાના હાથે દેવી કાત્યાયનીએ જે રક્ષાવલય ' બાંધેલું હતું તે દિવ્ય રક્ષાવલયને ઉતારીને ગભદ્રને સંપ્યું,
અને ગેભદ્રને તેણે કહ્યું કે હું અહીં ભાગીરથીના જળની મધ્યે એક મુહૂર્ત માત્ર પ્રાણાયામ કરૂ છું. તે હું પ્રાણાયામ કરી લઉં ત્યાં સુધીને માટે તું આ રક્ષાવલયને બરાબર જાળવજે. ભટ્ટે કહ્યું કે ભલે એમ કરીશ અને એમ કહીને ગભદ્ર રક્ષાવલયને લઈને બેઠો એટલે વિદ્યાસિદ્ધ પુરૂષ પણ ગંગાના પાણીની મધ્યે પેઠો. ગંગાના પાણીમાં વિદ્યાસિદ્ધ પુરૂષ એટલે ઊંડે પેઠે કે-આ ચર્મચક્ષુઓથી જેનાર કેઈથી પણ એને દેખી શકાય નહિ. આ દિવ્ય રક્ષાવલય એ શું ચીજ છે અને આનો પ્રભાવ કેટલે મેટો છે. એ તે હવે ભદ્રથી અજાણ્યું નથી ! આવી