________________
ખંડ : ૧ લો
૨૧૯
ગમે ત્યારે અચાનક આવીને લઈ જશે. તે સમયે આપણું કોઈ રક્ષણ નહિ કરી શકે. દીનવદને બધું ય પડતું મૂકીને આત્માને એકલા ચાલ્યા જવું પડશે.
જે છ ખંડના સ્વામિ એવા ચકવતિએની હજારો દેવ રક્ષા કરતા હતા, લાખ સૈનિકો જેની તહેનાતમાં હાજર હજુર હતા, વૈદ્યો, હકીમો, રાત દિવસ સેવામાં ખડે પગે તૈયાર હતા, નવનિધાન અને ચૌદ રત્નના ધણી અને ધરતીને પ્રજાવનારા ધરણીધરો પણ જ્યારે આ ધરણીમાં ઢળી પડ્યા ત્યારે આપણી શી ગણત્રી? માટે સવેળા જાગવાની જરૂર છે. આંખે અંધાપો આવ્યું નથી, કાનથી હજી સારી રીતે સાંભળી શકીએ છીએ, ઈ દ્રિ સતેજ છે. શરીર શિથિલ બન્યું નથી તે પહેલાં કંઇક કરી લેવાની જરૂર છે.
મનુષ્યની ચાર અવસ્થા કુદરતે કરી છે બાલ, યુવાન, પ્રૌઢ અને વૃદ્ધાવસ્થા. ધર્મ તે ચાર અવસ્થામાં કરી લેવાની જરૂર છે. કારણ કાળ કયારે કળીઓ કરી જશે તે જ્ઞાની સિવાય જાણી શકાતું નથી. અને સાથે તે ધર્મ જ આવશે. જે સાથે આવે તેને ગુમાવવો ન જોઈએ. જે માણસે બાળપણામાં વિદ્યા ન મેળવી, યુવાનીમાં ધન-ન મેળવ્યું, પ્રૌઢાવસ્થામ. ધર્માચરણ ન કર્યું, તે વૃદ્ધાવસ્થામાં શું કરી શકશે?
આ જીવનબાગ કે બનાવશે ? માનવ જીવન એ બગીચે છે. ફકત પૈસા માટે જીદગીને વેડફી નાખવાની નથી. રત્ન કરેડ આપતાં પણ, ક્ષણ ગયેલી ના મળે, ઉપદેશ આ પ્રભુ વીરને, સાંભળજે તું પળે પળે,