________________
૨પર
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ દ્રૌપદીને પાછી લાવતી વખતે તેઓ (ર) જનની પટવાળી ગંગા નદીને ભુજાઓથી તરી ગયા. પરંતુ આફતના સમયે દ્વારિકામાં દાહ લાગે, પિતાને સર્વ પરિવાર અને સગા સંબંધી તેમાં નાશ પામ્યા. માતાપિતાને આ સર્વ નાશમાંથી ઉગારી લેવાને તેમને ભગીરથ પ્રયત્ન છતાં તેમાં સફળ થયા નહિ. વાસુદેવ તથા દેવકીજી દરવાજાની શીલા તૂટી પડતાં મરણ પામ્યા, માત્ર મેટાભાઈ બલભદ્ર અને તેઓ જ બચી શકયા. ત્યાંથી જંગલમાં જતાં પાણીની ખુબ તરસ લાગી. બલભદ્ર પાણી લેવા કાચા અને આ બાજુ જરાકુમારના બાણથી તેમના પ્રાણ ચાલ્યા ગયાં. (આનું નામ કર્મ) જે જરાસંઘ-કૃષ્ણનું પોતાનાં હાથથી મરણ ન થાય તે માટે જંગલમાં ચાલી ગયા હતા, પણ જે બનવાનું હોય તે બન્યા જ કરે છે. કર્મ સત્તાને આભારી ગણાય, તે સંબંધમાં એક દુહો કહેવાય છે. દાઝી નગરી દ્વારિકા, નાઠા બંધવ દેય; તર ત્રિકમ વન મૂએ, ગર્વ ન કરશો કેય.
નિકાચિત કર્મને ભગવ્યા વિના છુટકો જ નથી. પણ ધર્મમાં મનને જોડવાથી ભોગાવલી કર્મ શાન્તિથી ભોગવી શકાય છે. તે અકામનિર્જરા છે. જેથી નવા કર્મ બંધાતાં નથી, ધર્મને શરણે ગયેલાઓને દુઃખ, દર્દ કે વિપત્તિ કરી પણું અકળાવતાં નથી....કારણ કે ધર્મ પતે જ એનું રક્ષણ કરે છે. દર્દમાં આનંદ, સુખ કોને કહેવું અને દુઃખ કોને કહેવું એ એક ભારે વિવાદાસ્પદ જટિલ અને વિચિત્ર