________________
ખંડ : ૨ જે
૨૩૫ ચિંતામણી રત્નની ઉપાસના કરનાર કદી દરિદ્ર ન હોય તેમ રત્ન ચિતામણીથી અધિક વીતરાગ પરમાત્માની ઉપાસના કરનારે ગુણથી કદી દરિદ્ર હોય ખરે?
-ધર્મને સાચે અર્થ શુ? - ધર્મ શબ્દ ધૃ ધાતુ પરથી બનેલું છે. પૃ–ધર એટલે ધારણ કરવું. શું ધારણ કરવું? ધારણ કરવાના અર્થમાં ગેટાળ, ગેરસમજ કે કઈ ગંદો વિચાર ન આવે તેટલા માટે ધારણ શબ્દને મધ્યમાં રાખીને આપણા શાસ્ત્રકાર ભગવતેએ ધર્મની વ્યાખ્યા બાંધી છે કે જે પ્રાણીઓને દુર્ગતિમાં પડતે ધારી રાખે તેને ધર્મ કહેવાય !”
આ ધર્મ જીવને દુર્ગતિમાં જો અટકાવે છે, એટલું જ નહિ પરંતુ તે જીવને સદ્ગતિમાં પણ લઈ જાય છે, ધર્મ એક સાથે બે જાતનું કામ કરે છે. જીવને દુર્ગતિમાં જતી બચાવે છે. અને સદ્ગતિમાં લઈ જાય છે.
દુર્ગતિમાં-દુર્ગતિ તરફ જઈ રહેલા જીવને ઉદ્ધાર કરીને તેમને ફરીથી શુભ સ્થાને સ્થાપે છે. તેથી તે ધર્મ - સાચો ધર્મ કહેવાય છે.
એક વખતના હત્યારા દઢપ્રહારી મહાત્માને ધર્મ સદ્ગતિમાં મેકર્યો તેનું દષ્ટાંત આગળ આ પુસ્તકમાં વાંચવા મળશે. ધર્મથી બધું મળે છે. તે છતાં ય ધર્મથી ધૂળ જેવી સંસારની વસ્તુઓને માંગવી એ તે બેવકૂફી છે.