SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ : ૨ જે ૨૩૫ ચિંતામણી રત્નની ઉપાસના કરનાર કદી દરિદ્ર ન હોય તેમ રત્ન ચિતામણીથી અધિક વીતરાગ પરમાત્માની ઉપાસના કરનારે ગુણથી કદી દરિદ્ર હોય ખરે? -ધર્મને સાચે અર્થ શુ? - ધર્મ શબ્દ ધૃ ધાતુ પરથી બનેલું છે. પૃ–ધર એટલે ધારણ કરવું. શું ધારણ કરવું? ધારણ કરવાના અર્થમાં ગેટાળ, ગેરસમજ કે કઈ ગંદો વિચાર ન આવે તેટલા માટે ધારણ શબ્દને મધ્યમાં રાખીને આપણા શાસ્ત્રકાર ભગવતેએ ધર્મની વ્યાખ્યા બાંધી છે કે જે પ્રાણીઓને દુર્ગતિમાં પડતે ધારી રાખે તેને ધર્મ કહેવાય !” આ ધર્મ જીવને દુર્ગતિમાં જો અટકાવે છે, એટલું જ નહિ પરંતુ તે જીવને સદ્ગતિમાં પણ લઈ જાય છે, ધર્મ એક સાથે બે જાતનું કામ કરે છે. જીવને દુર્ગતિમાં જતી બચાવે છે. અને સદ્ગતિમાં લઈ જાય છે. દુર્ગતિમાં-દુર્ગતિ તરફ જઈ રહેલા જીવને ઉદ્ધાર કરીને તેમને ફરીથી શુભ સ્થાને સ્થાપે છે. તેથી તે ધર્મ - સાચો ધર્મ કહેવાય છે. એક વખતના હત્યારા દઢપ્રહારી મહાત્માને ધર્મ સદ્ગતિમાં મેકર્યો તેનું દષ્ટાંત આગળ આ પુસ્તકમાં વાંચવા મળશે. ધર્મથી બધું મળે છે. તે છતાં ય ધર્મથી ધૂળ જેવી સંસારની વસ્તુઓને માંગવી એ તે બેવકૂફી છે.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy