________________
ખંડ : ૧ લો
૧૫૫ એટલે જ જ્ઞાની ભગવંતે કહ્યું છે કે કર્મ કરતી વખતે ચેતતા રહે. નહિ તે હસતાં બાંધ્યા, રેતાં નહિ છૂટે એટલે જ કર્મથી બાલ સ્વઆત્માને ઓળખીને જીવન જીવવું જોઈએ.
વર્તમાન કાળના આધુનિક શિક્ષણવાળાને આવા વાંચન વાંચતા એક થતું હોય કે આવા ઉપદેશની વાત કેટલા વર્ષની છે ? ! વર્ષોની વાત. ખરેખર પ્રભુ શાસનની હયાતીનો દરેક સમય ધર્મની આરાધના માટે ધર્મીને અનુકુળ જ દે . છે; એ જ વાત સ્પષ્ટ કરતાં શ્રી વીતરાગ તેત્રના નવમાં પ્રકાશમાં કાલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે, “જે કાળમાં શેડા જ કાળે કરીને તારી ભક્તિનું ફળ પમાય છે તે એક કલિકાલ જ હો અને કૃતયુગાદિથી મારે સર્યું ? વાત પણ ખરી છે કે પ્રભુ શાસનની પ્રાપ્તિ વિનાને ચે આરે પણ શું કામને? અને પ્રભુ શાસનની પ્રાપ્તિથી સુંદર બનેલે પાંચમે આરે એ પણ ચોથા આરાથી ય સુંદર છે, કારણ કે આત્મ કલ્યાણની પ્રાપ્તિ માટે તે સાધન રૂપે ખરેખર પ્રભુ શાસનને પામેલા અત્મા માટે દરેક દ્રવ્ય, દરેક કાળ અને દરેક ભાવ ઉત્તમ છે. તે આત્માને મન તે જે કાળમાં જિનાજ્ઞાનું પાલન થાય તે સુકાળ અને આજ્ઞાનું પાલન જે કાળમાં ન થાય તે દુષ્કાળ. જે કાળ વિગેરે વસ્તુની કિમત હોય તે આ બધાની પરવા ન કરે. ભસવું અને લેટ ફાક એ બે વાત કોઈ કાળે નહિ બને. દુનિયાની સાહ્યબીમાં